Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપ પ્રદેશ પ્રમુખ C.R.PATIL એ ગાંધીનગરમાં કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ગાંધીનગરમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજાઇ હતી.. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી, સાથે જ તેમણે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. સી.આર.પાટીલે કહ્યું કે તિરંગા યાત્રા અને હર ઘર...
01:36 PM Aug 15, 2023 IST | Vishal Dave

ગાંધીનગરમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજાઇ હતી.. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી, સાથે જ તેમણે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું.

સી.આર.પાટીલે કહ્યું કે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ વડાપ્રધાન મોદીની એક શ્રેષ્ઠ પહેલ છે જેને કારણે ગામે ગામ તિરંગા યાત્રા યોજાઇ છે..અસંખ્ય લોકોએ આ યાત્રામાં ભાગ લીધો છે અને દરેક ઘરે તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે સી.આર.પાટીલે કહ્યું કે દેશની આઝાદી માટે અનેક યુવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી આ તેમને યાદ કરવાનો પર્વ છે.. તેમણે કહ્યું કે આઝાદીની સાથે ભાગલાનું દુઃખ પણ જોડાયેલું છે.. લાખ્ખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.. તેમણે કહ્યું કે આપણે સૌ સંકલ્પ લઇએ કે દેશની સ્વતંત્રતાની સામે આવનારા દરેક જોખમનો સામનો કરવા આપણે આપણા પ્રાણોની આહુતિ આપી દઇશું

Tags :
C.R.PatilflagGandhinagarIndependence DayKamlamTiranga
Next Article