Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Ram Mandir- નિર્માણમાં જોતરાયેલા કારીગરો ય રામમય

Ayodhya Ram Mandir -અખંડ રામધૂન સાથે સાથી કારીગરો સાથે રામંદિરના પત્થરો કોતરતો ઝિંગુ અયોધ્યા રામ મંદિર: ઝીંગુ અને તેના સાથીદારો સાથે 2001 ની સાલથી અયોધ્યામાં પથ્થર કામ કરી રહ્યા છે. ઝીંગુ કહે છે કે અમારું જીવન ધન્ય બની ગયું છે...
ayodhya ram mandir  નિર્માણમાં જોતરાયેલા કારીગરો ય રામમય
Ayodhya Ram Mandir -અખંડ રામધૂન સાથે સાથી કારીગરો સાથે રામંદિરના પત્થરો કોતરતો ઝિંગુ

અયોધ્યા રામ મંદિર: ઝીંગુ અને તેના સાથીદારો સાથે 2001 ની સાલથી અયોધ્યામાં પથ્થર કામ કરી રહ્યા છે.

Advertisement

ઝીંગુ કહે છે કે અમારું જીવન ધન્ય બની ગયું છે કે અમને પથ્થરો ચોંટવાનું કામ મળ્યું છે. ઝિંગુએ જણાવ્યું કે જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેને રોજનું 115 રૂપિયાનું વેતન મળતું હતું. દોઢ વર્ષ પહેલાથી રોજના 600 રૂપિયા મળવા લાગ્યા.

મિર્ઝાપુરના અચિતપુર ગામનો રહેવાસી ઝિંગુ, તેના પરિવારના સભ્યો અને ગ્રામજનો રામધૂન ગાતી વખતે મંદિર માટે પથ્થરોનું કામ કરી રહ્યા છે. દરેક કારીગર પથ્થરો કોતરવામાં 1990થી વ્યસ્ત છે તે સમયથી જ્યારે તે પણ ખબર ન હતી કે મંદિર (Ayodhya Ram Mandir)  બનશે કે નહીં.

Advertisement

ઝિંગુ કહે છે... “રામલલાનું કામ મળ્યું એથી જીવન પવિત્ર થઈ રહ્યું છે. જીવન ધન્ય બની ગયું કે અમને પથ્થર ચોંટાડવાનું કામ મળ્યું. તેમણે કહ્યું કે જ્યારે રામ મંદિર માટે પથ્થર આવવાનું શરૂ થયું ત્યારે ગાડીમાંથી ઉતારવા,ગોઠવવા અને તેની સફાઈ માટે કારીગરોની જરૂર હતી.

અન્નુ સોમપુરાને ખબર પડી કે મિર્ઝાપુરમાં પથ્થરોનું કામ કરનારા લોકો રહે છે. તેમના આમંત્રણ પર ગામના શંભુ, મહેશ અને ઘુરેલાલ 1990માં અયોધ્યા આવ્યા હતા. પાછળથી રામનરેશ આવ્યો.સંપથ અને હું 2001માં આવ્યા હતા. શંભુ અને મહેશ હવે નથી રહ્યા. સંપત-ઘુરેલાલ વૃદ્ધાવસ્થાને કારણે પાછા ફર્યા. રામનરેશ અને હું હજુ પણ કામ કરી રહ્યા છીએ.”

Advertisement

ઝીંગુ જણાવે છે કે:” 2002માં શિલાપૂજન Ayodhya Ram Mandir નો કાર્યક્રમ હતો. હજારો કારસેવકો અયોધ્યા આવ્યા હતા. વાતાવરણ ગરમ હતું. એક પથ્થર કેન્દ્ર સરકારના પ્રતિનિધિને આપવાનો નિર્ણય લેવાયો હતો. પછી અમારામાંથી છએ પસંદ કરેલી રામશિલાને વર્કશોપથી હનુમાનગઢી મંદિર સુધી લઈ જવાની જવાબદારી મળી. અમે પથ્થરો લઈને ટ્રોલી પર પહોંચ્યા, જે રામચંદ્ર દાસ પરમહંસ અને અશોક સિંઘલ દ્વારા કેન્દ્રના પ્રતિનિધિને સોંપવામાં આવ્યા હતા.”

હવે રોજના 600 રૂપિયા મળી રહ્યા છે

ઝિંગુએ જણાવ્યું કે જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેને રોજનું 115 રૂપિયાનું વેતન મળતું હતું. 2011માં તે વધીને 7,500 રૂપિયા પ્રતિ માસ થઈ ગયો. દોઢ વર્ષ પહેલા મને રોજના 600 રૂપિયા એટલે કે મહિને 18 હજાર રૂપિયા મળવા લાગ્યા. કહેવાય છે કે અહીં ખાવા-પીવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.

ગયા વર્ષે નેપાળના કાલિગંડકી કિનારેથી બે મોટા ખડકો મળી આવ્યા હતા. તેમનું વજન 14 અને 27 ટન છે. આ પથ્થરો જનકપુરના જાનકી મંદિરમાંથી મોકલવામાં આવ્યા હતા. તે સમયે દેશભરમાં તેમની પૂજા અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પથ્થરોમાંથી શ્રી રામ અને રામ પરિવારની મૂર્તિઓ બનાવવામાં આવશે તેવી ચર્ચા થઈ હતી.

રામલલાની મૂર્તિ તૈયાર છે

હવે રામલલાની મૂર્તિ તૈયાર છે. વર્કશોપ પાસે રામસેવકપુરમમાં આ પથ્થરને સાચવવામાં આવ્યો છે.

જ્યારે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તેમને નેપાળ પરત મોકલવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પર ચંપત રાય કહે છે કે ના, સંપૂર્ણ સન્માન કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી.

કર્ણાટકમાંથી ત્રણ કાળા પથ્થરો આવ્યા છે. આ પણ અહીં સાચવેલ છે. રાજસ્થાનમાંથી પણ ત્રણ પથ્થરો આવ્યા છે.

Ayodhya Ram Mandirવર્કશોપમાં કામ કરતા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર-નેપાળથી લાવવામાં આવેલા બે પથ્થરો રામમૂર્તિ માટે યોગ્ય નહોતા. થોડી તકનીકી તપાસ પછી, શિલ્પકારોએ કહ્યું કે આ ખડકમાંથી પ્રતિમા કોતરવી શક્ય નથી. એવી પણ ચર્ચા થઈ હતી કે કેટલાક સંતોએ કહ્યું હતું કે કાલિનાદીના ખડકો તોડવા જોઈએ નહીં, કારણ કે તે શાલિગ્રામની સમકક્ષ છે.

આ પણ વાંચો: Sarayu Ayodhya: સરયૂ નદીમાં સ્નાન કરવાથી પુણ્ય કેમ નથી મળતું ?  

Tags :
Advertisement

.