પત્નીનો એવો તે કેવો ત્રાસ હશે કે, પતિએ આપઘાત કરી લીધો
શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં જ સાસરિયાઓના ત્રાસથી કંટાળી આપઘાત (Suicide) કરી લીધો. મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ (FIR) આપતા વેવાઇ અને વેવણની પોલીસે (Police) ધરપકડ કરી...તો તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી.સ્યુસાઇડ નોટ લખીમારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીà
શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં જ સાસરિયાઓના ત્રાસથી કંટાળી આપઘાત (Suicide) કરી લીધો. મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ (FIR) આપતા વેવાઇ અને વેવણની પોલીસે (Police) ધરપકડ કરી...તો તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી.
સ્યુસાઇડ નોટ લખી
મારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં... આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન....મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે.
ડાયરીમાં ના ખબર પડે તો જયેશભાઈ ને કહેજો. આઈ લવ યુ જયેશભાઈ, મારી આધ્યાનું ધ્યાન રાખજો સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી બાય... મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આ વાક્યો છે સુભાષ નામના યુવકના... જેણે મોતને વ્હાલુ કરતા પહેલા આ શબ્દો તેની અંતિમચિઠ્ઠીમાં લખ્યા હતા.
પોલીસ કાર્યવાહી
ઠક્કરનગરમાં રહેતા સુભાષને સાસરિયાઓનો ત્રાસ હતો...અને તેનાથી જ કંટાળી ગત 27મી જાન્યુઆરીએ નિકોલ ખાતેની તેની દુકાને આપઘાત કરી લીધો હતો..જે બાબતે હવે કૃષ્ણનગર પોલીસે મૃતકની પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી મૃતકના સાસુ સસરાની ધરપકડ કરી. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે મૃતક સુભાષ ભાઈની પત્ની પીનલ લગ્નના છ માસ બાદ થી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી અને કોઈપણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી.
સાસરી પક્ષની ચઢામણી
પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેના ચઢામણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઈની સાથે વાતો કરતી નહોતી અને કોઈ પણ પ્રસંગોમાં આવતી નહોતી. અવારનવાર પિનલ તેના પિયર જતી રહેતી હતી અને એકવાર સમાધાન કરી તેને સાસરિયાઓ તેડી લાવ્યા હતા. પીનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી અને પિયરમાં વધુ રહેતી હતી.
પત્નિ તેની દિકરી સાથે ફરાર
સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી. પરંતુ તે પહેલા 27મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈ ની પત્ની સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે મૃતકના સાસુ અને સસરાની તો ધરપકડ કરી પણ મુખ્ય આરોપી પત્ની હાલ પણ ફરાર છે...જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે...મૃતકની પત્ની હાલ તેની દીકરી સાથે ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો - સાબરમતીના શુદ્ધિકરણની માત્ર વાતો, વાસ્તવિકતા જુદી, દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી બીજા નંબરે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement