Ahmedabad : ટાફ ગ્રુપ દ્વારા આયોજિત કવિ સંમેલન "મોજ રે" ..!
Ahmedabad : અમદાવાદ(Ahmedabad)ના જાણીતા સોશિયલ ગ્રુપ ટાફ (Taff Group) દ્વારા આગામી 29 જાન્યુઆરીના રોજ અમદાવાદ (Ahmedabad)ના સિંધુભવન ખાતે આવેલી ટી પોસ્ટ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિઓ ભાગ લેશે. આ કવિ સંમેલનનું સંચાલન જાણીતા અને લોકપ્રિય કવિ શ્રી રઈશ મણિયાર કરશે.
કવિ શ્રી રઈશ મણિયાર સંચાલન કરશે
કવિ શ્રી રઈશ મણિયારના સંચાલનમાં કવિઓ જેવા કે મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તાહા મન્સૂરી, કુણાલ શાહ, ઉવૈસ ગીરાચ, વિરલ દેસાઈ, વિશાલ દેસાઈ, ચૈતાલી જોગી અને ચિરાગ ખોડીફાડ કાવ્યપઠન કરશે. કવિ સંમેલનમાં બહોળી સંખ્યામાં ટાફ ના સભ્યો જોડાશે.
ગુજરાત ફર્સ્ટ હંમેશા ઉભરતી પ્રતિભાઓને યોગ્ય મંચ આપવાનો પ્રયાસ કરતી રહે છે
લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ હંમેશા ઉભરતી પ્રતિભાઓને યોગ્ય મંચ આપવાનો પ્રયાસ કરતી રહે છે. ગુજરાત ફર્સ્ટે ટાફ ગ્રુપ દ્વારા આયોજિત કવિ સંમેલન "મોજ રે" ને પણ સહયોગ આપ્યો છે. કલાકારો અને વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને યોગ્ય તક આપી સમાજ સમક્ષ રજૂ કરવામાં ગુજરાત ફર્સ્ટ હંમેશા તત્પર જ રહે છે.
સમયાંતરે ટાફ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે
TAFF ગ્રુપ ના નામમાં Travel, Art, Fashion અને Food છે. ટાફ ગ્રુપ એ એક નોન કોમર્શિયલ ગ્રુપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. ટાફ ગ્રુપ દ્વારા ઘણી ફૂડ મીટ થયેલી છે. આ સિવાય કાંકરિયા અને અમદાવાદ શહેરની હેરિટેજ મૂલ્યોને ઉજાગર કરતી અલગ અલગ વોક થઈ છે. લોથલ જેવી હેરિટેજ સાઇટની પણ મુલાકાત અને એક દિવસીય પિકનિક જેવા કાર્યક્રમ થયેલા છે. આ સિવાય ગુજરાતી સિનેમાના પ્રીમિયર જેવા કાર્યક્રમ પણ યોજાયેલા છે. ટાફ ગ્રુપમાં રહેલા સભ્યો એક પરિવારની જેમ સમયાંતરે આવા કાર્યક્રમો દ્વારા મળતા રહે છે.
આ પણ વાંચો---NARENDRA MODI- સફળતાનો જશ લેવાનો હક તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો---ગુજરાતના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 થી 22 જાન્યુઆરી દરમિયાન જન અભિયાન યોજાશે