ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પગાર-ભથ્થા નહી સ્વિકારવાનો કર્યો નિર્ણય
રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. આ મામલે બલવંતસિંહે મુખ્યમંત્રીને લેખિતમાં એક પત્ર લખ્યો.પ્રથમ વખત જ કેબિનેટ મંત્રી બનેલા રાજપૂતે આ અગાઉ પણ જીઆઇડીસીના ચેરમેન હતા એ સમય દરમિયાન સરકારના કોઈ જ લાભ લીધા ન હતા. પગાર ભથ્થા ઉપરાંત સરકારી પેટ્રોલ પણ લીધું ન હતું. રàª
03:37 PM Dec 23, 2022 IST
|
Vipul Pandya
રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. આ મામલે બલવંતસિંહે મુખ્યમંત્રીને લેખિતમાં એક પત્ર લખ્યો.
પ્રથમ વખત જ કેબિનેટ મંત્રી બનેલા રાજપૂતે આ અગાઉ પણ જીઆઇડીસીના ચેરમેન હતા એ સમય દરમિયાન સરકારના કોઈ જ લાભ લીધા ન હતા. પગાર ભથ્થા ઉપરાંત સરકારી પેટ્રોલ પણ લીધું ન હતું. રાજ્યની વિધાનસભાની ચૂંટણી સમયથી સૌથી ધનિક ધારાસભ્યોની ચર્ચા થઈ રહી હતી. જેમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત નો પણ સમાવેશ થતો હતો. ત્યારે આજે ગુજરાત સરકારના સૌથી ધનિક ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે.
સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાંકીય લાભ નહીં લેવાની વાત કરી છે. આ અગાઉ ભાજપના જ ધારાસભ્ય પબુભા માણેકે પોતાના પગાર સહિતના ભથ્થાઓને જ્યારે ત્યાગ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો - પબુભા માણેકનો પગાર સહિત અન્ય ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય, વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article