Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

27 દુકાનો બારોબાર વેચી 4 કરોડની ઠગાઈ આચરનાર ઝડપાયો

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એક વખત ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો ભાગીદાર હોવાનું ખૂલ્યું છે.ભાગીદારીમાં બનાવેલા કોમ્પલેક્ષની અનેક દુકાનો બારોબાર વેચીને કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.નારોલ પોલીસે આ મામલે દિલીપસિંહ ભાટીયા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી આમતો સ્ટાન્ડર્ડ રોડ કેરિયરના નામથી à
27 દુકાનો બારોબાર વેચી 4 કરોડની ઠગાઈ આચરનાર ઝડપાયો
Advertisement
અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એક વખત ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો ભાગીદાર હોવાનું ખૂલ્યું છે.ભાગીદારીમાં બનાવેલા કોમ્પલેક્ષની અનેક દુકાનો બારોબાર વેચીને કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નારોલ પોલીસે આ મામલે દિલીપસિંહ ભાટીયા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી આમતો સ્ટાન્ડર્ડ રોડ કેરિયરના નામથી ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. પરંતુ તેણે પોતાના જ ભાગીદાર સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અરુણકુમાર વાણીયાને વર્ષ 2008માં દિલીપસિંહ ભાટીયા સાથે પરિચય થયો હતો. તેઓએ નારોલ વિસ્તારમાં ભાગીદારીમાં જમીન ખરીદી તે જમીન ઉપર સુખ અમૃત કોમ્પલેક્ષ નામની કોમર્શિયલ સ્કીમ બનાવી હતી.
જે જમીનનો વિવાદ થતા કોર્ટમાં કેસ ચાલતો હતો તેવામાં ફરિયાદીને પોતાના રોકાણ કરેલા કરોડો રૂપિયા ડૂબી જવાનો ડર લાગતા તેણે ભાગીદાર દિલીપસિંહ ભાટિયા સાથે સમજૂતી કરાર કર્યો હતો.જેમાં કોમ્પલેક્ષની બાકી રહેલી 55 દુકાનો એકબીજાની સહમતીથી વેચવાનું નક્કી થયું હતું અને તે દુકાનોમાંથી આવેલી રકમમાં નફાનો 65% હિસ્સો દિલીપસિંહ તેમજ 35 ટકા હિસ્સો ફરિયાદીનો નક્કી કર્યો હતો. જોકે આરોપી દિલીપસિંહ ભાટિયાએ સમજૂતી કરાર કર્યા ના 17 દિવસ બાદ જ 27 દુકાનો બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદી વેપારીને આ ઠગાઈ મામલે જાણ થતા તેઓએ નારોલ પોલીસ સ્ટેશનમાં દિલીપસિંહ ભાટિયા સામે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સંયુક્ત ભાગીદારીની મિલકતમાં આવેલ 55 દુકાનો પૈકી ૨૭ દુકાનો ઉપર અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી આપીને છેતરપિંડી આચરનાર દિલીપસિંહ ભાટીયા કોમ્પ્લેકસની બાકી રહેતી ૩૦ દુકાનો પણ જાણ બહાર વેચી દે તેવી શંકાના આધારે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી છે.
આ સમગ્ર મામલે નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે.જોકે ચાર કરોડની છેતરપિંડીની રકમનો આરોપીએ શું કર્યું અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Tags :
Advertisement
×

Live Tv

.

×