Ahmedabad : રામોલમાં ફટાકડા ફોડવાના મુદ્દે પિતા-પુત્રની હત્યા
અમદાવાદ પૂર્વમાં ગુનેગારો બન્યા બેફામ
રામોલમાં ફટાકડા ફોડવા મુદ્દે પિતા-પુત્રની હત્યા
ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર કરાયો હુમલો
4 લોકોએ છરી વડે હુમલો કરી હત્યા કરી
વિજયશંકર અને ધ્રુવ નામના પિતા પુત્રનુ મોત
રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે 4 શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરીને પિતા-પુત્રની હત્યા કરી હતી. બનાવના પગલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
વિજય શંકર અને ધ્રુવ નામના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં બંનેના મોત
અમદાવાદ પૂર્વમાં આવેલા રામોલ વિસ્તારમાં ફટાકડા ફોડવાના નજીવા મુદ્દે પરિવાર પર હુમલો કરાયો હતો. મળેલી માહિતી મુજબ રામોલની સોમનાથ સોસાયટીમાં ફડાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં દિપક મરાઠી સહિતના 4 શખ્સોએ વિજય શંકર અને ધ્રુવ નામના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં બંનેના મોત થયા છે.
પોલીસે તપાસ શરુ કરી
ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે સ્થળ પર પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. દિવાળીના તહેવારોમાં આ પ્રકારે નજીવી બાબતે હત્યા થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
આ પણ વાંચો----AHMEDABAD : દિવાળીની રાત્રે નબીરાઓ બન્યા બેફામ, રેસિંગના ચક્કરમાં મર્સિડીઝ અને ઓડી કારે 3 કારને અડફેટે લીધી