ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : ગેરકાયદેસર આવેલો વધુ એક બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો, ગૃહરાજ્ય મંત્રીએ આપી માહિતી

ગુજરાતભરમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
05:39 PM Apr 30, 2025 IST | Vipul Sen
ગુજરાતભરમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
featuredImage featuredImage
Bangladeshi_Gujarat_first
  1. પોલીસે વધુ એક બાંગ્લાદેશી પરિવારની ધરપકડ કરી (Ahmedabad)
  2. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ
  3. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
  4. પરિવાર પાસે બાંગ્લાદેશનાં આઈડી કાર્ડ પણ મળ્યા

Ahmedabad : જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam terrorist Attack) બાદ દેશભરમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને શોધી ડિપોર્ટ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતભરમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની (Pakistanis) અને બાંગ્લાદેશીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન, ગેરકાયદે ગુજરાત આવેલા વધુ એક બાંગ્લાદેશી (Bangladeshis) પરિવારની ધરપકડ કરવામાં આવી છે. જે અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સોશિયલ મીડિયા થકી માહિતી આપી છે.

આ પણ વાંચો - Chandola Lake Demolition : કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ, આપ્યું મોટું નિવેદન

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 5 બાંગ્લાદેશીની ધરપકડ

રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા લોકો સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. આવા લોકોને શોધી તેમનાં દેશ પરત મોકલવાની કામગીરી કરાઈ રહી છે. દરમિયાન, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા વધુ એક બાંગ્લાદેશી પરિવારની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર પોસ્ટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પરથી રેલવે પોલીસે 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી! સતર્કતા તેની શ્રેષ્ઠ તકેદારી!

આ પણ વાંચો - Chandola Lake Demolition Day 2: આજે ફરી સવારે 8 વાગ્યાથી જ ડિમોલિશન કામગીરી શરૂ, 60 ટકા કામગીરી પૂર્ણ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સો. મીડિયા થકી આપી માહિતી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) વધુમાં જણાવ્યું કે, 'એક દિવસ પહેલા જ, વડોદરા રેલવે પોલીસની ટીમે પશ્ચિમ બંગાળથી હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા 4 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી!' માહિતી અનુસાર, અમદાવાદ રેલવે સ્ટેશન પર ઝડપાયેલા બાંગ્લાદેશી પરિવાર પાસેથી બાંગ્લાદેશનાં આઈડી કાર્ડ પણ મળી આવ્યા હતા. જણાવી દઈએ કે, આ પહેલા પણ સુરત (Surat), અમદાવાદ, આણંદ, વડોદરા (Vadodara), દીવ સહિતનાં અલગ અલગ વિસ્તારમાંથી અંદાજે 1000 થી વધુ ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા અને તેમના દેશ પરત મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોટા ભાગનાં લોકોને તેમના દેશ ડિપોર્ટ કરાયા છે.

આ પણ વાંચો - Surat : 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર શિક્ષિકા આખરે ઝડપાઈ, પોલીસ પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Tags :
Ahmedabad Railway PoliceAhmedabad railway stationBangladeshisGUJARAT FIRST NEWSHarsh SanghviIllegally BangladeshiJammu and Kashmirpahalgam terrorist attackPakistanisTop Gujarati NewsVadodara Railway Police