Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SMS હોસ્પીટલમાં થયેલા નર્સના આપઘાતમાં પોલીસ મોડા મોડા જાગી, આઠ દિવસ બાદ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

અમદાવાદ (Ahmedabad) શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના સાતમાં માળે હોસ્પિટલની મહિલા નર્સે (Nurse) પંખે લટકીને આપઘાત (Suicide) કરી લીધો હોવાનો કિસ્સો એકાદ અઠવાડિયા અગાઉ બન્યો હતો, જેમાં ચાંદખેડા પોલીસે (Police) આજે મોડા મોડા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે જ્યારે આ મહિલા નર્સે હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો તે સમયે તેની પાસેથી એક  નોટ પણ મળી આવી હતી. સ્થાનિક પોલીસે બન
06:04 AM Jan 23, 2023 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad) શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના સાતમાં માળે હોસ્પિટલની મહિલા નર્સે (Nurse) પંખે લટકીને આપઘાત (Suicide) કરી લીધો હોવાનો કિસ્સો એકાદ અઠવાડિયા અગાઉ બન્યો હતો, જેમાં ચાંદખેડા પોલીસે (Police) આજે મોડા મોડા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે જ્યારે આ મહિલા નર્સે હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો તે સમયે તેની પાસેથી એક  નોટ પણ મળી આવી હતી. સ્થાનિક પોલીસે બનાવના  આઠ દિવસ બાદ મૃતક યુવતીના પ્રેમી જયેશ રાઠોડ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

આઠ દિવસ બાદ જયેશ રાઠોડ નામના યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો
 પોલીસને બનાવના દિવસે જ મૃતક નર્સ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં યુવતીએ સ્પષ્ટપણે તેની સાથે જે ઘટનાક્રમ સર્જાયો હતો તેની આપવિતી વર્ણવી હતી તે છતાંય  સ્થાનિક પોલીસ સ્ટેશન એટલેકે ચાંદખેડા પોલીસે સમગ્ર બનાવના આઠ દિવસ બાદ જયેશ રાઠોડ નામના યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ચાંદખેડા પોલીસ દ્વારા શરૂઆતથી જ આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી
સામાન્ય રીતે જ્યારે આપઘાતનો બનાવ બનતો હોય છે ત્યારે મૃતક પાસેથી જો કોઈ સ્યુસાઈડ નોટ મળી મળી આવે અને તેમાં કોઈ વ્યક્તિ વિશેષ વાત કરવામાં આવી હોય કે પછી નામ જોગ આક્ષેપ કરવામાં આવ્યો હોય ત્યારે તેવા સંજોગોમાં પોલીસ સૌથી પહેલા આક્ષેપીત વ્યક્તિના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરતી હોય છે અને જરૂરી પુરાવાઓ એકત્ર કરીને  ગુનેગારની ધરપકડ કરતી હોય છે પણ કોણ જાણે  કેમ મહિલા નર્સના આપઘાત કેસમાં ચાંદખેડા પોલીસ દ્વારા શરૂઆતથી જ આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હોય તેવું મૃતકના પરિવારજનોનું પણ એકદરે માનવું છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ 
10-01-2023 ના રોજ જીમી પરમાર તેના પ્રેમીના વસ્ત્રાપુર ખાતેના ઘરે ગઇ હતી. ત્યાંથી મહિલા નર્સને સમજાવી તેણીની મોટી બહેન સાથે મોકલી દેવામાં આવી હતી.  11 તારીખે  જીમી ફરીથી જયેશના ઘરે પહોંચી હતી જ્યાં જયેશ જીમીના મોટા બહેન દેવલ રાઠોડને ફોન કરીને બોલાવી લે છે અને બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે સમાધાન કરવામાં આવે છે

પરિવારજનો વચ્ચે સમાધાન
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બન્ને પરિવારજનો વચ્ચે સમાધાન થયા બાદ જયેશ રાઠોડના માતા પિતા જીમી પરમાર અને જયેશ રાઠોડના ફૂલ હાર દ્વારા લગ્ન કરાવવા માટે હા પાડવામા આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

લંચ ટાઈમ પછી જીમી પરમાર નોકરીએ પરત નહીં આવી
12-01-2023 ના રોજ મહિલા નર્સ જીમી પરમાર રાબેતા મુજબ નોકરીએ પણ ગઇ પરંતુ લંચ ટાઈમ પછી જીમી પરમાર નોકરીએ પરત નહીં આવતા SMS હોસ્પિટલના ઇન્ચાર્જ હેડ નર્સે જીમી પરમારની મોટી બહેનને દેવલ રાઠોડને  ફોન કરીને જાણ કરી હતી. બાદમાં સમગ્ર પરિવાર હોસ્પિટલ આવ્યો હતો.પરંતુ જીમી પરમારની શોધખોળ હાથ ધરવા છતાંય મળી આવી નોહતી...
 
હોસ્પિટલના સાતમા માળે પંખે લટકીને આત્મહત્યા
15-01-2023 ના રોજ બપોરે અઢી વાગ્યે જીમી પરમારના પરિવારને જાણ કરવામાં આવી કે તેમની દીકરી હોસ્પિટલના સાતમા માળે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. 
આ પણ વાંચો--ધોરાજી રાજાશાહીયુગનું સરકારી હોસ્પિટલનું ધૂળ ખાતુ બિલ્ડીંગ, તંત્ર દેખાયું નિષ્ક્રિય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeGujaratFirstNursepoliceSMSHospitalsuicide
Next Article