Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : દીકરીને વારંવાર હેરાન કરતા જમાઇનું સસરાએ જ ઢીમ ઢાળી દીધું

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. નરોડા (Naroda) રોડ પર આવેલ અશોક મિલની ચાલીમાં સસરાએ જ જમાઈનું કાશળ કાઢી નાખ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને શહેરકોટડા...
ahmedabad   દીકરીને વારંવાર હેરાન કરતા જમાઇનું સસરાએ જ ઢીમ ઢાળી દીધું

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. નરોડા (Naroda) રોડ પર આવેલ અશોક મિલની ચાલીમાં સસરાએ જ જમાઈનું કાશળ કાઢી નાખ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

જમાઈ વારંવાર સાસરીએ આવી દીકરીને હેરાન કરતો હતો

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ (Ahmedabad) નરોડા રોડ (Naroda) પર આવેલ અશોક મિલની ચાલીમાં હત્યાની ચકચારી ઘટના બની છે. દીકરીને વારંવાર હેરાન પરેશાન કરનાર પતિ મહેન્દ્ર પરમારની સસરા વિનુભાઈ ડોડીયાએ જ ઘાતકી હત્યા કરી હતી. જમાઈ અવારનવાર સાસરીમાં આવીને દીકરી સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હોવાથી આખરે કંટાળી સસરાએ જમાઈનું જ કાસળ કાઢી નાખ્યું હતું.

પોલીસે સસરાની ધરપકડ કરી

શહેરકોટડા પોલીસે (Shehrkotda police) આ હત્યાની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સસરાએ જ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે મહેન્દ્ર પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાનાં ગુનામાં સસરા વિનુભાઈ ડોડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - MADRASA SURVEY : દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે વધુ 4 ની ધરપકડ

Advertisement

આ પણ વાંચો - Morbi: ચીખલીમાં 2 પરિવાર બાઝ્યા! તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો

આ પણ વાંચો - Banaskantha: લોકો સાથે છેતરપિંડી આચરતો હતો આ ભેજાબાજ! મળી આવ્યા અધધ ATM

Tags :
Advertisement

.