શ્રીલંકાની ટીમ સામે ભારતીય ટીમને ત્રીજી વનડે મેચમાં 110 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
ભારત આ મેચ હારતાની સાથે જ આ શ્રેણી હવે 0-2 થી હારી ગઈ છે
આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા
શ્રીલંકાની ટીમ માટે પથુમ નિસાંકા અને અવિષ્કા ફર્નાન્ડોએ સારી બેટિંગ કરી હતી
આ હારની સાથે જ હવે કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે
રોહિત શર્મા શ્રીલંકા સામે વન ડે શ્રેણી હારનાર ત્રીજો કપ્તાન બની ગયો છે
તે પહેલા સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ લંકા સામેની વનડે શ્રેણી હારી હતી
ભારત છેલ્લે 1997માં શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી ગયું હતું
હવે 27 વર્ષ બાદ ભારત શ્રીલંકા સામે વન ડે શ્રેણી હાર્યું છે