હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝ રમાઈ રહી છે
ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ભલે પાછળ હોય, પરંતુ હજી વાપસી કરવાની તક છે
ભારતીય ટીમની પ્રથમ મેચ ટાઈ રહી હતી, બીજી મેચમાં ભારત હારી હતી
હવે જો ભારતની ટીમ 7મી ઓગસ્ટે રમાનારી મેચ જીતી જાય છે
તો સિરીઝ માત્ર ડ્રોમાં જ ખતમ નહીં થાય પરંતુ ભારતીય ટીમ કીર્તિમાન બનાવશે
આવું વનડે ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી
ભારતીય ટીમએ અત્યાર સુધી શ્રીલંકાને વનડેમાં 99 વખત હરાવ્યું છે
જો ભારતીય ટીમ આગામી મેચમાં શ્રીલંકાને હરાવશે તો આ આંકડો વધીને 100 થઈ જશે
શ્રેણીની ત્રીજી મેચ 7મી ઓગસ્ટે કોલંબોમાં રમાવાની છે