આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં કેટલાક લોકોથી સાવધ અને દૂર રહેવાનું જણાવાયુ છે
આચાર્ય ચાણક્ય અનુસાર આવા લોકો આપણા જીવનની પ્રગતિ અટકાવે છે
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ મૂર્ખ લોકોથી દૂર રહેવું જોઈએ
અહી આચાર્ય ચાણક્ય મૂર્ખ એવા લોકોને કહી રહ્યા છે કે જે દરેક બાબતમાં પોતાની જાતને બીજા કરતા શ્રેષ્ઠ માને છે
ચાણક્ય અનુસાર આવા લોકો માત્ર સમયનો બગાડ કરે છે
આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિને વસ્તુઓમાં ખામી શોધવાની આદત હોય તેમનાથી દૂર રહો
આ પ્રકારના લોકો જીવનમાં નકારાત્મક અસર પાડે છે
તેવા લોકોના સાથે રહેવાથી ખરાબ અસર થાય છે અને તમે પણ નકારાત્મક બની જાઓ છો