સોમનાથ
ભગવાન શિવજીનું આ જ્યોતિર્લિંગ ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલ વેરાવળમાં સ્થિત છે.
મલ્લિકાર્જુન
આંધ્ર પ્રદેશનાં શ્રીશૈલમમાં કૃષ્ણા નદી કિનારે શ્રીશૈલ પર્વત પર આ જ્યોતિર્લિંગ આવેલું છે.
મહાકાલેશ્વર
મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી કિનારે સ્થિત આ જ્યોતિર્લિંગ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
ઓમકારેશ્વર
મધ્ય પ્રદેશનાં ખંડવામાં આવેલા જ્યોતિર્લિંગની મહિમા અનેરી છે.
કેદારનાથ
ઉત્તરાખંડનાં રૂદ્રપ્રયાગમાં સ્થિત આ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા લાખો લોકો આવે છે.
ભીમાશંકર
મહારાષ્ટ્રનાં પુણેમાં ભીમા નદી કિનારે સ્થિત આ જ્યોતિર્લિંગનું મંદિર ખૂબ જ પ્રાચીન અને લોકપ્રિય છે.
કાશી વિશ્વનાથ
ઉત્તર પ્રદેશનાં ઘાટોના શહેર વારાણસીમાં સ્થિત છે આ જ્યોતિર્લિંગ.
ત્ર્યંબકેશ્વર
આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રનાં નાસિકમાં બ્રહ્મગિરિ પર્વતની પાસે સ્થિત છે.
વૈદ્યનાથ
ઝારખંડનાં દેવઘરમાં સ્થિત આ જ્યોતિર્લિંગ વૈધનાથ ધામ તરીકે પણ ઓળખાય છે.
નાગેશ્વર
ગુજરાતનાં દ્વારકામાં દારૂકાવનમમાં સ્થિત આ જ્યોતિર્લિંગ ભૂગર્ભ અભયારણ્યમાં છે.
રામેશ્વરમ
તમિલનાડુંના રામેશ્વરમાં આવેલ આ જ્યોતિર્લિંગ મંદિર સૌથી લાંબી પરસાળ ધરાવે છે.
ધૃષ્ણેશ્વર
મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં અજંતા અને ઇલોરાની ગુફાઓ પાસે સ્થિત છે આ મંદિર.