Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈશાલી ઠક્કર કેસમાં સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો, લગ્નના 4 દિવસ પહેલાં કર્યુ સુસાઇડ

ગઇ કાલે ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના સુસાઈડે સમગ્ર મનોરંજન જગતમાં ખળભળાટ મચાવ્યો છે. તેણે લખેલી સુસાઇડ નોટમાં રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને મળેલી ડાયરીમાં વૈશાલી ઠક્કરે તેના માતા અને પિતાની માફી પણ માંગી છે. લખેલું છે કે, હું સારી દીકરી ન બની શકી. ડાયરીના છેલ્લા શબ્દો છે 'I Quit'.  જો કે હાલમાં પોલીસ વૈશાલીના મોતની ઝીણવટપૂર્વક તપાસમાં લાગેલી છે.વૈશાલી ઠક્કર આત્મહત્à
વૈશાલી ઠક્કર કેસમાં સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો  લગ્નના 4 દિવસ પહેલાં કર્યુ સુસાઇડ
ગઇ કાલે ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના સુસાઈડે સમગ્ર મનોરંજન જગતમાં ખળભળાટ મચાવ્યો છે. તેણે લખેલી સુસાઇડ નોટમાં રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને મળેલી ડાયરીમાં વૈશાલી ઠક્કરે તેના માતા અને પિતાની માફી પણ માંગી છે. લખેલું છે કે, હું સારી દીકરી ન બની શકી. ડાયરીના છેલ્લા શબ્દો છે 'I Quit'.  જો કે હાલમાં પોલીસ વૈશાલીના મોતની ઝીણવટપૂર્વક તપાસમાં લાગેલી છે.
વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસ:
ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર હવે આપણી વચ્ચે નથી. 30 વર્ષની ઉંમરે આ રીતે અલવિદા કહેતી અભિનેત્રીએ બધાને ચોંકાવી દીધા છે. વૈશાલી તો જતી રહ્યી પણ પાછળ અનેક સવાલો છોડી ગઈ છે. જેમકે, વૈશાલીને કોણ હેરાન કરતું હતું? વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે કોણ છે? જેમ જેમ મોતનું રહસ્ય ઉકેલાઈ રહ્યું છે તેમ તેમ સવાલોના જવાબ મળી રહ્યાં છે. જાણો કોણેે વૈશાલીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી.
વૈશાલીની આત્મહત્યા માટે કોણ જવાબદાર?
વૈશાલી ઠક્કરે સુસાઈડ નોટમાં જો રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ દ્વારા વૈશાલીને શારીરિક અને માનસિક રીતે રીતે હેરાન કરવામાં આવતા હતી. વધુમાં પોલીસને મળેલી ડાયરીમાં વૈશાલી ઠક્કરે તેના માતા અને પિતાની માફી માંગી છે. લખેલું છે કે હું સારી દીકરી ન બની શકી. ડાયરીમાં રાહુલ અને એક દિશા નામની યુવતીનો પણ ઉલ્લેખ છે. ડાયરીના છેલ્લા શબ્દો છે 'I Quit'. પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ જે રીતે ડાયરીમાં વસ્તુઓ લખી છે તેના પરથી લાગે છે કે તે પણ ડિપ્રેશનમાં હતી. કેટલાક સમયથી તેને ટી.વીમાં કામ પણ મળતું ન હતું. જો કે આ બાબતો હજુ તપાસનો વિષય છે, જેથી પોલીસ હજુ સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકી નથી. જો કે હજુ સુધી  વૈશાલીની આ સુસાઈડ નોટની પુષ્ટિ  થઇ નથી. તે તેણે જ લખી છે કે કેમ 
વૈશાલીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?
રાહુલ વિશે વિગતો જણાવતા પહેલા જાણી લો વૈશાલીએ સુસાઈડ નોટમાં શું લખ્યું છે. લવ યુ પપ્પા મમ્મી.. મને અફસોસ છે કે હું સારી દીકરી ન બની શકી. મહેરબાની કરીને રાહુલ અને તેના પરિવારને સજા કરો. રાહુલ અને દિશાએ મને  અઢી વર્ષ સુધી માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. જો તેમને સજા નહીં થાય તો મારા આત્માને શાંતિ નહીં મળે. તમને મારા સમ છે. ખુશ રહો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું. મિતેશને જણાવજો કે મને માફ કરે. આઇ ક્વિટ..
કોણ છે રાહુલ?
વૈશાલીએ તેના મૃત્યુ માટે જેને જવાબદાર ગણાવ્યો છે તેનું નામ રાહુલ નવલાણી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ વૈશાલીનો પાડોશી છે. જે એક બિઝનેસમેન છે. વૈશાલીનું ઘર ઈન્દોરના સાંઈ બાગ કોલોનીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીએ રાહુલના કારણે જ પોતાના જીવનનો અંત આણ્યો છે, જો કે વૈશાલી જલદીથી લગ્ન કરવાની હતી. આ દરમિયાન રાહુલ આ અભિનેત્રીને હેરાન કરતો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સાંભળવામાં આવ્યું છે કે વૈશાલી 20 ઓક્ટોબર 2022ના રોજ લગ્ન કરવા જઈ રહી હતી. લગ્નના થોડા દિવસ પહેલા વૈશાલીએ આત્મહત્યા જેવું મોટું પગલું ભરવું ચોંકાવનારું છે. વૈશાલીના આ નિર્ણયથી ટીવી જગતમાં ખળભળાટ મચી ગયો છે.
વૈશાલીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી કરી હતી. આ પછી તે સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિશ યા અમૃત, મનમોહિની 2, રક્ષાબંધન જેવા શોમાં જોવા મળી હતી. વૈશાલીને કરિયરમાં ઊંચે ઊડવું હતું. પરંતુ અફસોસ, તે પહેલા જ વૈશાલીએ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું.
 
Advertisement
Tags :
Advertisement

.