યોગીના ડરથી ઉત્તરપ્રદેશમાં 14 દિવસમાં 50થી વધુ ગુનેગારોએ કર્યું સરેન્ડર
યુપીમાં યોગી 2.0 સરકારના બુલડોઝરના ડરથી બે અઠવાડિયામાં 50થી વધુ ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું છે. એક અધિકારીએ સોમવારે આ
જાણકારી આપી. રાજ્યના વિવિધ ભાગોમાં ઘણા ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવામાં આવ્યા
છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘણા ફરાર ગુનેગારોની આવી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોલીસ સ્ટેશનમાં તેમના ગળામાં પ્લેકાર્ડ સાથે જોવા મળે છે.
તેમાં લખવામાં આવ્યું છે કે 'હું આત્મસમર્પણ કરી
રહ્યો છું, કૃપા કરીને મને ગોળી ન મારો'.
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને
વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે છેલ્લા પખવાડિયામાં 50 થી વધુ ગુનેગારોએ માત્ર આત્મસમર્પણ જ
નહીં પરંતુ ગુનાથી દૂર રહેવાનો સંકલ્પ પણ
કર્યો છે. જણાવી દઈએ કે ગુનેગારો અને માફિયાઓ સામે કડક કાર્યવાહીનું પ્રતિક બની
ગયેલા બુલડોઝરને સમગ્ર યુપી ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથને 'બુલડોઝર બાબા'નું નામ આપ્યું છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એ જણાવ્યું હતું કે બે ગુનેગારો
એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા અને આ સમયગાળા દરમિયાન અન્ય ઘણા લોકોની ધરપકડ
કરવામાં આવી હતી. અતિક્રમણ દૂર કરવા અને ગેરકાયદે મિલકતોને તોડી પાડવા માટે
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ બુલડોઝર તૈનાત કરવામાં આવ્યા છે. બુલડોઝરના ડરની અસર એ થઈ
કે ગુનાહિત અપહરણ અને ખંડણીના કેસના આરોપી ગૌતમ સિંહે 15 માર્ચે ગોંડા જિલ્લાના ચપલા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.
સહારનપુર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં લગભગ બે ડઝન ગુનેગારો ક્યારેય ગુનો નહીં કરવાના વચન સાથે લાઇનમાં
ઉભા હતા. આ પછી દેવબંદમાં 4 દારૂના દાણચોરોના સરેન્ડરના સમાચાર આવ્યા અને શામલીમાં ઘણા
ગુનેગારોના કિસ્સામાં પણ આવું જ થયું. ગયા અઠવાડિયે પ્રતાપગઢમાં બળાત્કારના આરોપીએ રેલ્વે સ્ટેશન નજીકના શૌચાલયમાં એક
મહિલા પર બળાત્કાર કર્યાના 4 દિવસ પછી આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેના ઘરની સામે બુલડોઝર
પાર્ક કર્યું હતું. ઔરૈયા જિલ્લા પ્રશાસને સોમવારે બજારના સ્થળે સરકારી જમીન પર
ગેરકાયદેસર રીતે બનેલી દુકાનોને સાફ કરી દીધી હતી. એ જ રીતે, હોળીની પૂર્વસંધ્યાએ, વહીવટીતંત્રે મૈનપુરીમાં અતિક્રમિત જમીન પરની દુકાનો દૂર કરી. ADGએ કહ્યું કે ગુનેગારો અને માફિયાઓ પ્રત્યે કોઈ નમ્રતા ન દાખવવાની
સ્પષ્ટ સૂચના છે. 6 માર્ચે બાહુબલી-રાજકારણી મુખ્તાર અંસારીના નજીકના સાથી દ્વારા બાંધવામાં
આવેલ ગેરકાયદેસર માળખું લખનૌમાં તોડી પાડવામાં આવ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે
ગયા વર્ષે રાજ્યની વિધાનસભામાં કહ્યું હતું કે માફિયાઓથી મુક્ત થયેલી જમીન પર
ગરીબો માટે ઘર બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ
પર 7052 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી
રહી છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીના જણાવ્યા અનુસાર હથિયારોના દુરુપયોગ માટે એક હજારથી વધુ લોકોના લાયસન્સ પણ સસ્પેન્ડ
કરવામાં આવ્યા છે. બીજી તરફ શાંતિ ભંગ કરવા બદલ 2 લાખ 32 હજાર 971 કેસમાં 11 લાખ 99 હજાર 828 વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
હતો. આ વર્ષે અત્યાર સુધીમાં 1439 હથિયારના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.