Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યશે કરોડોની ડીલ ફગાવી, પાન મસાલા બ્રાન્ડ પ્રમોશનનો સ્પષ્ટ ઇનકાર કર્યો

અજય દેવગન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો. જો કે સાઉથ સુપર સ્ટાર યશે આવી જાહેરાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અક્ષય કુમાર દ્વારા પાન મસાલાની જાહેરાતના કારણે તેણે ચાહકોની માફી માંગવાની ઘટના પછી, હવે KGF સ્ટાર અભિનેતા યશે પાન મસાલાની જાહેરાત માટે કરોડોની ઓફર ઠુકરાવી દીધી છે. અજય દેવગન, શાહરૂખ ખાન અને
યશે કરોડોની ડીલ ફગાવી  પાન મસાલા  બ્રાન્ડ પ્રમોશનનો સ્પષ્ટ ઇનકાર કર્યો
અજય દેવગન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો. જો કે સાઉથ સુપર સ્ટાર યશે આવી જાહેરાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અક્ષય કુમાર દ્વારા પાન મસાલાની જાહેરાતના કારણે તેણે ચાહકોની માફી માંગવાની ઘટના પછી, હવે KGF સ્ટાર અભિનેતા યશે પાન મસાલાની જાહેરાત માટે કરોડોની ઓફર ઠુકરાવી દીધી છે. 
અજય દેવગન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાતમાં જોવા મળ્યો હતો, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો. આ પછી, અક્ષય કુમારે ચાહકોની માફી માંગવી પડી હતી. સાથે જ અક્ષયે આ મુદ્દે કંપની સાથેનો આ કરાર તોડવાની વાત કરી હતી. 
યશે કરોડોની ડીલ ઠુકરાવી દીધી
દરમિયાન, KGF-2 સુપરસ્ટાર યશ દ્વારા પાન મસાલા અને એલચીની બ્રાન્ડ માટે કરોડોની કિંમતની એન્ડોર્સમેન્ટ ઓફર નકારી કાઢવાના સમાચાર સામે આવ્યા છે. યશ માટે એન્ડોર્સમેન્ટ ડીલ્સ સંભાળતી એજન્સી એક્સિડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. ટેલેન્ટ એન્ડ ન્યુ વેન્ચર્સ હેડ અર્જુન બેનર્જીએ એક મિડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાન મસાલા અને આવા ઉત્પાદનો લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ હાનિકારક અસર કરે છે."
શું કામ લીધો આવો નિર્ણય?
અર્જુને વધુમા કહ્યું, 'આ વસ્તુઓનો ઉપયોગ લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે. યશ દ્વારા લેવામાં આવેલો એક ખૂબ જ સંવેદનશીલ અને સમજદાર નિર્ણય છે, તેણે આ એડ સાથેનો સોદો નકારી કાઢ્યો હતો જે તેના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ઇમદા ગણવામાં આવી રહ્યો છે. તેના આ નિર્ણય તેના ફેન્સ અને ફોલઅર્સનને ધ્યાને રાખી લાીધો છે.  

અક્ષય કુમારને ખરાબ રીતે ટ્રોલ  કરવામાં આવ્યો હતો
અર્જ કહ્યું, "દેશભરમાં તેની લોકપ્રિયતાને જોતા, અમે ઈચ્છીએ છીએ કે તેની લોકપ્રિયતાનો યોગ્ય સામાજીક સંદેશના ફેલાવવા માટે થાય." તેણે કહ્યું કે તે સારી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માંગે છે. તમને જણાવી દઈએ કે પબ્લિક પાન મસાલા અને ગુટખા જેવી ચીજોના પ્રચાર માટે બોલીવુડના સુપરસ્ટાર કલાકારોને લોકો ખૂબ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ રિલીઝ થયેલ 'રામ સેતુ'નું પોસ્ટર પણ ટ્રોલ્સના નિશાના પર આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.