Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વટ સાવિત્રી વ્રતના દિવસે કેમ વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, જાણો તેનું ધાર્મિક મહત્ત્વ

વટ સાવિત્રી વ્રતએ પરિણીત મહિલાઓનું વ્રત છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનાર સ્ત્રના પતિનું આયુષ્ય લાંબું થાય છે. વિવાહિત જીવન સુખમય રહે છે. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ ​​સાવિત્રી વ્રત રાખે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમàª
09:27 AM May 24, 2022 IST | Vipul Pandya
વટ સાવિત્રી વ્રતએ પરિણીત મહિલાઓનું વ્રત છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનાર સ્ત્રના પતિનું આયુષ્ય લાંબું થાય છે. વિવાહિત જીવન સુખમય રહે છે. 
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ ​​સાવિત્રી વ્રત રાખે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30 મે, સોમવારે ઉજવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને વટવૃક્ષ એટલે કે વડના વૃક્ષની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજના દિવસે વટવૃક્ષની પૂજા શા માટે કરવામાં આવે છે? 
ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ-વટ વૃક્ષની પૂજાનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રો અનુસાર વડના ઝાડના થડમાં ભગવાન વિષ્ણુ, મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં ભગવાન શિવનો વાસ છે. આ વૃક્ષમાં ઘણી ડાળીઓ નીચેની તરફ રહે છે, જેને દેવી સાવિત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, એવું માનવામાં આવે છે કે આ વૃક્ષની પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વૃક્ષની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ માટે લાભદાયક માનવામાં આવે છે. 
એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે, દેવી સાવિત્રીએ તેમના પતિને વટવૃક્ષની છાયામાં પુનર્જીવિત કર્યા હતા. આ દિવસથી વટ વૃક્ષની પૂજા શરૂ થઈ. જે રીતે હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. તેવી જ રીતે વટવૃક્ષને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તીર્થંકર ઋષભદેવે અક્ષય વટ હેઠળ તપસ્યા કરી હતી. આ સ્થળ પ્રયાગમાં ઋષભદેવ તપસ્થલી તરીકે પણ ઓળખાય છે.
Tags :
GujaratFirstVatSavitriPuja2022VatSavitriVrat
Next Article