Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનમ કપૂરે તેના પુત્રનું આવું યુનિક નામ કેમ રાખ્યું? જાણો કારણ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર(Sonam Kpoor) હાલમાં જ માતા બની છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે જણાવ્યું કે તેના પુત્રનું નામ વાયુ આહુજા (Vayu Kapoor Ahuja) રાખ્યું છે. જાણે તેણે આ નામ કેમ રાખ્યું? આવો જાણીએ શું છે પવન દેવતાનું મહત્વ.  કયા ધાર્મિક ગ્રંથોમાં પવન દેવતાનો ઉલ્લેખ છે? સોનમ કપૂરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 'અમારા જીવનમાં એક નવા શ્વાસે આકાર લીધો છે. જે ભગવાન હનુમાન અને ભીમનà«
સોનમ કપૂરે તેના પુત્રનું આવું યુનિક નામ કેમ રાખ્યું  જાણો કારણ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર(Sonam Kpoor) હાલમાં જ માતા બની છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે જણાવ્યું કે તેના પુત્રનું નામ વાયુ આહુજા (Vayu Kapoor Ahuja) રાખ્યું છે. જાણે તેણે આ નામ કેમ રાખ્યું? આવો જાણીએ શું છે પવન દેવતાનું મહત્વ. 
કયા ધાર્મિક ગ્રંથોમાં પવન દેવતાનો ઉલ્લેખ છે? 
સોનમ કપૂરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, "અમારા જીવનમાં એક નવા શ્વાસે આકાર લીધો છે. જે ભગવાન હનુમાન અને ભીમની જેમ આપણી શક્તિ અને હિંમતનું પ્રતિક છે. બસ અમારા પુત્ર વાયુ કપૂર આહુજાને બધા આશીર્વાદ આપો. હિંદુ ધર્મમાં વાયુને દેવ માનવામાં આવે છે. જે મૂળભૂત પાંચ તત્વોમાંનું એક છે. તેથી જ, અમે અમારા પુત્રનું નામ વાયુ રાખ્યું છે. વાયુ એ શ્વાસના દેવ છે અને હનુમાનના પિતા છે. વાયુ એ જીવન છે, બ્રહ્માંડમાં જીવન અને બુદ્ધિના શક્તિશાળી માર્ગદર્શક તમામ દેવતાઓ પ્રાણ, ઇન્દ્ર, શિવ અને કાલી વાયુ સાથે સંબંધિત છે. તે દુષ્ટતાનો નાશ કરી શકે તેટલી સરળતાથી જીવોમાં જીવનનો સંચાર કરી શકે છે. વાયુને બહાદુર, અને મંત્રમુગ્ધ કરનાર દેવ પણ કહેવામાં આવે છે."
Sonam Kapoor and Anand Ahuja name their baby boy Vayu, share first picture  | Bollywood - Hindustan Times

હિંદુ ધર્મમાં પવન દેવતાનું મહત્વ
વાયુ, જેને મારુત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ મહાન પાંડવ ભીમના પિતા અને ભગવાન હનુમાનના આધ્યાત્મિક પિતા હતા. તેઓ એવા વૈદિક દેવતાઓમાંના એક છે જેમની દરરોજ પૂજા કરવામાં આવે છે. તેમને ગંધર્વોના રાજા પણ કહેવામાં આવે છે, જે પર્વતોમાં રહે છે. વેદોમાં વાયુને અવકાશનો દેવ માનવામાં આવે છે.
Sonam Kapoor Baby Picture: Sonam Kapoor & Anand Ahuja name baby boy Vayu,  share his first picture - The Economic Times

ગ્રંથોમાં પવન દેવતાનું મહત્વ
હિંદુ શાસ્ત્રોમાં, વાયુ દેવને અત્યંત મહત્વના માનવામાં આવે છે કારણ કે ભગવાન વાયુના આશીર્વાદ વિના કોઈપણ જીવન ટકી શકતું નથી અને વિકાસ કરી શકતું નથી. બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર, વાયુને સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે કારણ કે તેમનું નામ શ્વાસનાને દર્શાવે છે જે માનવ અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે વિશ્વપુરુષના શ્વાસથી વાયુદેવનો જન્મ થયો હતો.
Sonam Kapoor and Anand Ahuja welcome a baby boy, Neetu Kapoor and Farah  confirm | Bollywood - Hindustan Times
પવન દેવતાનું નામ
ભગવાન વાયુનું નામ સૂર્ય, વાયુ અને અગ્નિ નામના વિવિધ હિન્દુ દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે વિવિધ અર્થોથી પણ ઓળખાય છે જેમ કે વાત અને પવનનો અર્થ શુદ્ધતા અને પ્રાણ એટલે કે જે અન્યને શ્વાસ આપે છે. વાયુના અન્ય કેટલાક નામો છેઃ મારુત, અનિલા, પવન વગેરે.
Sonam Kapoor is all smiles beside Anand Ahuja in the inside pictures of  mother-in-law's birthday celebration | Hindi Movie News - Times of India

પવન દેવતાનું સ્વરૂપ
વેદ અનુસાર વાયુદેવનું સ્વરૂપ સુંદર છે. વાયુ દેવતાની વિશેષતા એ છે કે તેમની હજાર આંખો છે. જે અદ્ભુત રીતે તેજસ્વી રથ પર બેસે છે. હજારો ઘોડાઓની ટીમ આ રથને ખેંચે છે. વાયુ દેવતાના અંશમાંથી જન્મેલા ઘણા બાળકોનું વર્ણન ગ્રંથોમાં જોવા મળે છે. તેમાંથી હનુમાન, ભીમસેન (પાંચ પાંડવોમાંથી એક), ઇલા તેમના સંતાનો ગણાય છે. પવન દેવતાની પૂજાનું ઘણું મહત્વ છે. તેમની પૂજા કરવાથી બાળકનો જન્મ થાય છે. આ સાથે ઉપાસકને જીવનમાં સફળતા પણ મળે છે. ઋગ્વેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ દુશ્મનોને ભગાડે છે અને નબળાઓની રક્ષા કરે છે.
Advertisement
Tags :
Advertisement

.