World Tiger Dayશા માટે અને ક્યારે ઉજવવામાં આવે છે?
આજે સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ ટાઈગર ડે (world tiger day)ની ઉજવણી કરી રહ્યું છે. વાઘના સંરક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2010માં કરવામાં આવી હતી. વિશ્વ વાઘ દિવસનો ઈતિહાસ:સૌથી પહેલા રશિયાના પીટર્સબર્ગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં 29 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્
Advertisement

આજે સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ ટાઈગર ડે (world tiger day)ની ઉજવણી કરી રહ્યું છે. વાઘના સંરક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2010માં કરવામાં આવી હતી.
વિશ્વ વાઘ દિવસનો ઈતિહાસ:
સૌથી પહેલા રશિયાના પીટર્સબર્ગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં 29 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમિટમાં વાઘની વસ્તી ધરાવતા 13 દેશોએ ભાગ લીધો હતો. જેમાં દરેક વ્યક્તિએ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે ભારતે 2018માં જ આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 2018માં ભારતમાં વાઘની સંખ્યા 2967ને વટી ગઈ હતી. વર્લ્ડ વાઇલ્ડલાઇફના આંકડા મુજબ છેલ્લા 150 વર્ષમાં વાઘની વસ્તીમાં લગભગ 95 ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં કેટલા વાઘ છે?
હાલ દુનિયાભરમાં 4 હજાર જેટલા વાઘ છે. જેમાં ભારતમાં 2 હજાર 967 વાઘ હોવાની માહિતી છે. પ્રકૃતિ કે સરંક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘની એક રિપોર્ટ મુજબ 2015માં વાઘની સંખ્યા 3200 હતી. જે વધીને 2022 સુધી 4 હજાર 500 સુધી પહોંચી છે.
કેટલાક પ્રકારના વાઘ હોય છે?
વાઘ અલગ અલગ રંગના જોવા મળે છે. જેમાં સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા ભૂરા વાઘ, ગોલ્ડન ટાઈગર હોય છે. જેમને જોવા એ એક અદભૂત લ્હાવો હોય છે. અત્યાર સુધી બાલી ટાઈગર, કૈસ્પિયન ટાઈગર, જાવન ટાઈગર અને ટાઈગર હાઈબ્રિડ જેવી પ્રજાતીઓ જોવા મળી છે. પરંતુ તે હવે લુપ્ત થઈ ચુકી છે.મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે.
