Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વમાં દર 44 સેકેંડે થઈ રહ્યું છે એક સંક્રમિતનું મોત : WHO

કોરોનાના ઘટતા કેસો આપણને સૌને ભલે રાહત આપતા હોય પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તરે દર 44 સેકંડમાં કોવિડ -19 થી હજી પણ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, આ વાયરસ આ રીતે સમાપ્ત નહીં થાય. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ચાલુ છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ આ વલણો ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી.
06:46 PM Sep 11, 2022 IST | Vipul Pandya
કોરોનાના ઘટતા કેસો આપણને સૌને ભલે રાહત આપતા હોય પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તરે દર 44 સેકંડમાં કોવિડ -19 થી હજી પણ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, આ વાયરસ આ રીતે સમાપ્ત નહીં થાય. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ચાલુ છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ આ વલણો ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીથી સાપ્તાહિક નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં 80% ટકાથી વધુનો ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં ગયા અઠવાડિયે કોરોનાથી દર 44 સેકંડમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ તેની કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીથી સાપ્તાહિક નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં 80 ટકાથી વધુ ઘટાડો થયો હોઈ શકે છે, પરંતુ ગયા અઠવાડિયે, COVID-19 થી દર 44 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આપણે આમાના મોટાભાગના મોત અટકાવી શક્યા હોત. કોરોના વાયરસ ગયો નથી આ સાંભળીને તમે કંટાળી ગયા હશો પણ જ્યાં સુધી આ વાયરસ ખતમ નહીં થાય ત્યાં સુધી હું કહેતો રહીશ કે, કોરોના ગયો નથી.
WHO આવતા અઠવાડિયે  6 સંક્ષિપ્ત નીતિઓનો સમૂહ પ્રકાશિત કરશે, જેમાં કોરોના ચેપ ઘટાડવા અને જીવન બચાવવા માટે તમામ સરકારો લઈ શકે તેવા જરૂરી પગલાંની રૂપરેખા આપશે. અમે આશા રાખીએ છીએ કે દેશો આ સંક્ષિપ્ત વર્ણનોનો ઉપયોગ સૌથી વધુ જોખમમાં રહેલા લોકોની સુરક્ષા માટે, જેમને તેની જરૂર છે તેમની સારવાર કરવા અને જીવન બચાવવા માટે તેમની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવા માટે કરશે.
Tags :
Covid19GujaratFirstTedrosAdhanomGhebreyesusWHOworld
Next Article