બે વખત વડાપ્રધાન પછી હવે શું કરશે નરેન્દ્ર મોદી ? જુઓ શું છે હવે આગળનો પ્લાન ?
ગુજરાત સરકારની
યોજનાઓના લાભાર્થીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ હજુ ધીમા
પડવાના નથી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ
દરમિયાન, કયા વિપક્ષના નેતાને યાદ કરીને તેમણે
કહ્યું કે તેમને લાગે છે કે વ્યક્તિ માટે બે વાર વડાપ્રધાન બનવું પૂરતું છે. પણ
હું બીજી ધાતુથી બનેલો છું. પીએમ મોદીએ કહ્યું, એક દિવસ એક મોટા નેતા મને મળ્યા. તેઓ રાજકારણમાં અવારનવાર અમારો
વિરોધ કરતા હતા પરંતુ હું તેમનું સન્માન કરું છું. કેટલીક બાબતોમાં તે મારાથી ખુશ
નહોતો અને તેથી જ તે મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, મોદીજી તમે બે વખત દેશના
વડાપ્રધાન બન્યા છો. હવે તમારે બીજું શું જોઈએ છે? તેમનું માનવું હતું કે જો કોઈ બે વાર વડાપ્રધાન બને તો તેને બધું
મળી જાય છે.
વડાપ્રધાને વધુમાં
કહ્યું કે, 'તેઓ નથી જાણતા કે મોદી કઈ ધાતુના
બનેલા છે. ગુજરાતની ધરતીએ બનાવ્યો છે. મને નથી લાગતું કે જે થવાનું હતું તે થઈ
ગયું છે. હવે મારે આરામ કરવો જોઈએ. મારું સપનું
છે કે 100 ટકા લોકો સુધી જનહિતની યોજનાઓ
પહોંચે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોઈપણ નેતાના નામનો ઉલ્લેખ કર્યો ન
હતો. જો કે, થોડા દિવસો પહેલા એનસીપી નેતા શરદ
પવાર તેમને મળવા આવ્યા હતા અને તેમણે પણ કેન્દ્રની એજન્સીઓને લઈને મુદ્દો ઉઠાવ્યો
હતો.