આખરે શું છે આ અગ્નિપથ યોજના? જાણો અને સમજો વિસ્તારથી...
અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની? શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજનàª
07:50 AM Jun 18, 2022 IST
|
Vipul Pandya
અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.
આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની? શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.
સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજના લાવી રહી છે. તે છે અગ્નિપથ યોજના. આ યોજના અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરાશે. અને ચાર વર્ષ પછી તેમને રીટાયર કરી દેવાશે. આ યોજનાથી સરકાર પર પેન્શનો બોજો ખતમ થઇ જશે.
- સેનામાં ભરતી માટેની નવી યોજના
- સરકાર લાવી રહી છે અગ્નિપથ યોજના
- ચાર વર્ષ માટે સેનામાં કરાશે ભરતી
- સરકારને મળશે પેન્શનના બોજાથી મુક્તિ
કેન્દ્ર સરકાર સેનામાં યુવાઓની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાગુ કરવા જઇ રહી છે. આનાથી દેશના લાખ્ખો યુવાનોનું સેનામાં ભરતી થવાનુ સપનુ સાકાર થશે. આ અતર્ગત ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેના માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત યુવાનોની ભરતી ચાર વર્ષ માટે થશે.સેનામાં શામેલ થનારા યુવાનોને અગ્નિવીરના નામથી ઓળખવામાં આવશે.
અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે યુવાનોના સેનામાં ભરતી થયા બાદ સશસ્ત્રદળોની સરેરાશ ઉંમરમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત સૈનિકોના રિટાયર થયા બાદ સરકાર પર પડનારો પેન્શનનો બોજો પણ ખતમ થઇ જશે.
- ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવાય છે આ યોજના
- રીટાયર થતા સૈનિકોને મળશે મોટી રકમ
- રિટાયર થતા સૈનિકોને મળશે સર્ટિફિકેટ
- કોર્પોરેટ સહિતના ક્ષેત્રમાં કામ કરવા મળશે મદદ
અગ્નિપથ યોજનાને ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સેનામાં શામેલ થનારા યુવાનોને 4 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ મોટી રકમ સાથે રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર તેમના આગળના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમને ડિપ્લોમા અને સર્ટિફિકેટથી સમ્માનિત કરશે. સાથે જ કોર્પોરેટ સહિત અન્ય ક્ષેત્રમાં કામ કરવા માટે તેમની મદદ પણ કરવામાં આવશે.
- 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કિમ'નું બીજુ નામ છે અગ્નિપથ
- સૈનિકોની શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર થાય છે ભરતી
- ભરતી થનારા યુવકોને અપાય છે ટ્રેનિંગ
- સેનાની ત્રણેય પાંખોમાં કરાશે ભરતી
અગ્નિપથ યોજના ભારતીય સેનાની ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમને આપવામાં આવેલું એક નામ છે. 2 વર્ષ પહેલા ટૂર ઓફ ડ્યૂટી યોજના પર ચર્ચા શરૂ થઇ હતી. આ યોજના અંતર્ગત સૈનિકોની શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે. ભરતી કરવામાં આવનારા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને પછી તેમને જેતે સ્થળ પર તૈનાત કરવામાં આવશે. આ પદ્ધતિ સ્થાયી રીતે સૈનિકોને નિયુક્ત કરવાની હાલની પ્રથાને ખતમ કરી દેશે. અને આ રીતે સેનાની ભરતીની પદ્ધતિમાં મોટો બદલાવ આવશે. સશસ્ત્રદળો પાસે સ્પેશિયલ વર્ક માટે સ્પેશિયાલિસ્ટ યુવાનોની ભરતી કરવાનો ઓપ્શન પણ હશે. આ અંતર્ગત સેનાની ત્રણેય પાંખોમાં ભરતી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ અગ્નિપથ યોજના માટે ભરતી શરૂ કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત એલિજિબિલિટી ક્રાયટેરિયા કંઇક આ પ્રમાણે છે.
અગ્નિપથ યોજનાનો ક્રાઇટેરિયા અને તેની જોગવાઇઓ
- અગ્નિપથ માટે 17.5 વર્ષથી 23 વર્ષની વચ્ચેના ઉમેદવાર આવેદન કરી શકશે
- આવેદન કરનાર યુવક ઓછામાં ઓછો 10 ધોરણ પાસ હોવો જોઇએ
- ભરતી થનારા યુવાનોને છ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે
- ટ્રેનિંગ બાદ સાડા ત્રણ વર્ષ સુધી સેનામાં સર્વિસ આપવાની રહેશે
- ભરતી માટે અન્ય ક્રાઇટેરિયાને ટુંક સમયમાં સરકાર દ્વારા જારી કરવામાં આવશે.
- પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.30 હજાર વેતન
- બીજા વર્ષે પ્રતિમાસ રૂ.33 હજાર વેતન
- ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.36,500 વેતન
- ચોથા વર્ષે પ્રતિમાસ રૂ.40 હજાર વેતન
- વેતનના 30 ટકા સરકાર સેવિંગ તરીકે જમા રાખશે
- તેટલી જ બીજી રકમ સરકાર પોતાના તરફથી ઉમેરશે
- નિવૃતિ સમયે સૈનિકને અંદાજે 10થી 12 લાખ રૂ. મળશે
- અગ્નિપથ યોજના અંતર્ગત પહેલા વર્ષે 30 હજાર વેતન આપવામાં આવશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા વેતન અપાશે. ત્રીજા વર્ષે રૂ. 36,500 વેતન અપાશે. અને ચોથા વર્ષે તે 40,000રૂ. થઇ જશે.
- સેવા નિધિ યોજના અંતર્ગત સરકાર વેતનનો 30 ટકા હિસ્સો સેવિંગરૂપે રાખી લેશે અને તેમાં તેટલી જ રકમનું સરકાર પોતે યોગદાન આપશે.
- આ બધી રકમ સાથે ચાર વર્ષ પછી સૈનિકોને 10 થી 12 લાખ રૂપિયા જેટલી રકમ મળશે. આ રકમ ટેકસ ફ્રી હશે.
- યોજના અંતર્ગત ભરતી થનારા યુવાનોને કાશ્મીર અને દેશના અલગ-અલગ હિસ્સાઓમાં તૈનાત કરવામાં આવશે.
Next Article