આખરે શું છે આ અગ્નિપથ યોજના? જાણો અને સમજો વિસ્તારથી...
અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની? શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજનàª
અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.
આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની? શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.
સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજના લાવી રહી છે. તે છે અગ્નિપથ યોજના. આ યોજના અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરાશે. અને ચાર વર્ષ પછી તેમને રીટાયર કરી દેવાશે. આ યોજનાથી સરકાર પર પેન્શનો બોજો ખતમ થઇ જશે.
- સેનામાં ભરતી માટેની નવી યોજના
- સરકાર લાવી રહી છે અગ્નિપથ યોજના
- ચાર વર્ષ માટે સેનામાં કરાશે ભરતી
- સરકારને મળશે પેન્શનના બોજાથી મુક્તિ
કેન્દ્ર સરકાર સેનામાં યુવાઓની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાગુ કરવા જઇ રહી છે. આનાથી દેશના લાખ્ખો યુવાનોનું સેનામાં ભરતી થવાનુ સપનુ સાકાર થશે. આ અતર્ગત ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેના માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત યુવાનોની ભરતી ચાર વર્ષ માટે થશે.સેનામાં શામેલ થનારા યુવાનોને અગ્નિવીરના નામથી ઓળખવામાં આવશે.
અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે યુવાનોના સેનામાં ભરતી થયા બાદ સશસ્ત્રદળોની સરેરાશ ઉંમરમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત સૈનિકોના રિટાયર થયા બાદ સરકાર પર પડનારો પેન્શનનો બોજો પણ ખતમ થઇ જશે.
- ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવાય છે આ યોજના
- રીટાયર થતા સૈનિકોને મળશે મોટી રકમ
- રિટાયર થતા સૈનિકોને મળશે સર્ટિફિકેટ
- કોર્પોરેટ સહિતના ક્ષેત્રમાં કામ કરવા મળશે મદદ
અગ્નિપથ યોજનાને ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સેનામાં શામેલ થનારા યુવાનોને 4 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ મોટી રકમ સાથે રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર તેમના આગળના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમને ડિપ્લોમા અને સર્ટિફિકેટથી સમ્માનિત કરશે. સાથે જ કોર્પોરેટ સહિત અન્ય ક્ષેત્રમાં કામ કરવા માટે તેમની મદદ પણ કરવામાં આવશે.
- 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કિમ'નું બીજુ નામ છે અગ્નિપથ
- સૈનિકોની શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર થાય છે ભરતી
- ભરતી થનારા યુવકોને અપાય છે ટ્રેનિંગ
- સેનાની ત્રણેય પાંખોમાં કરાશે ભરતી
અગ્નિપથ યોજના ભારતીય સેનાની ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમને આપવામાં આવેલું એક નામ છે. 2 વર્ષ પહેલા ટૂર ઓફ ડ્યૂટી યોજના પર ચર્ચા શરૂ થઇ હતી. આ યોજના અંતર્ગત સૈનિકોની શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે. ભરતી કરવામાં આવનારા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને પછી તેમને જેતે સ્થળ પર તૈનાત કરવામાં આવશે. આ પદ્ધતિ સ્થાયી રીતે સૈનિકોને નિયુક્ત કરવાની હાલની પ્રથાને ખતમ કરી દેશે. અને આ રીતે સેનાની ભરતીની પદ્ધતિમાં મોટો બદલાવ આવશે. સશસ્ત્રદળો પાસે સ્પેશિયલ વર્ક માટે સ્પેશિયાલિસ્ટ યુવાનોની ભરતી કરવાનો ઓપ્શન પણ હશે. આ અંતર્ગત સેનાની ત્રણેય પાંખોમાં ભરતી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ અગ્નિપથ યોજના માટે ભરતી શરૂ કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત એલિજિબિલિટી ક્રાયટેરિયા કંઇક આ પ્રમાણે છે.
અગ્નિપથ યોજનાનો ક્રાઇટેરિયા અને તેની જોગવાઇઓ
- અગ્નિપથ માટે 17.5 વર્ષથી 23 વર્ષની વચ્ચેના ઉમેદવાર આવેદન કરી શકશે
- આવેદન કરનાર યુવક ઓછામાં ઓછો 10 ધોરણ પાસ હોવો જોઇએ
- ભરતી થનારા યુવાનોને છ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે
- ટ્રેનિંગ બાદ સાડા ત્રણ વર્ષ સુધી સેનામાં સર્વિસ આપવાની રહેશે
- ભરતી માટે અન્ય ક્રાઇટેરિયાને ટુંક સમયમાં સરકાર દ્વારા જારી કરવામાં આવશે.
- પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.30 હજાર વેતન
- બીજા વર્ષે પ્રતિમાસ રૂ.33 હજાર વેતન
- ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.36,500 વેતન
- ચોથા વર્ષે પ્રતિમાસ રૂ.40 હજાર વેતન
- વેતનના 30 ટકા સરકાર સેવિંગ તરીકે જમા રાખશે
- તેટલી જ બીજી રકમ સરકાર પોતાના તરફથી ઉમેરશે
- નિવૃતિ સમયે સૈનિકને અંદાજે 10થી 12 લાખ રૂ. મળશે
- અગ્નિપથ યોજના અંતર્ગત પહેલા વર્ષે 30 હજાર વેતન આપવામાં આવશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા વેતન અપાશે. ત્રીજા વર્ષે રૂ. 36,500 વેતન અપાશે. અને ચોથા વર્ષે તે 40,000રૂ. થઇ જશે.
- સેવા નિધિ યોજના અંતર્ગત સરકાર વેતનનો 30 ટકા હિસ્સો સેવિંગરૂપે રાખી લેશે અને તેમાં તેટલી જ રકમનું સરકાર પોતે યોગદાન આપશે.
- આ બધી રકમ સાથે ચાર વર્ષ પછી સૈનિકોને 10 થી 12 લાખ રૂપિયા જેટલી રકમ મળશે. આ રકમ ટેકસ ફ્રી હશે.
- યોજના અંતર્ગત ભરતી થનારા યુવાનોને કાશ્મીર અને દેશના અલગ-અલગ હિસ્સાઓમાં તૈનાત કરવામાં આવશે.
Advertisement