"ધ કશ્મીર ફાઇલ્સ" વિશે શું કહ્યું, આમિરખાને !
દેશમાં લોકોને આકર્ષીત કરનારી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' વિદેશમાં પણ ધૂમ મચાવી છે ત્યારે ફિલ્મ અભિનેતા આમીર ખાને પણ આ ફિલ્મ વિશે પોતાનું રીએકશન આપીને સહુને ચોંકાવી દીધા છે. ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' જયારથી રિલીઝ થઇ છે ત્યારથી સિનેમાઘરોમાં તહેલકો મચી ગયો છે. ફિલ્મની ઇમોશનલ અને દમદાર સ્ટોરી લાઇનના કારણે દર્શકોના માનસપટલ પર ફિલ્મની ગહેરી અસર જોવા મળી છે અને સામાન્ય વ્યકતીઓથી માંડીને àª
09:28 AM Mar 21, 2022 IST
|
Vipul Pandya
દેશમાં લોકોને આકર્ષીત કરનારી ફિલ્મ "ધ કશ્મીર ફાઇલ્સ" વિદેશમાં પણ ધૂમ મચાવી છે ત્યારે ફિલ્મ અભિનેતા આમીર ખાને પણ આ ફિલ્મ વિશે પોતાનું રીએકશન આપીને સહુને ચોંકાવી દીધા છે.
ફિલ્મ "ધ કશ્મીર ફાઇલ્સ" જયારથી રિલીઝ થઇ છે ત્યારથી સિનેમાઘરોમાં તહેલકો મચી ગયો છે. ફિલ્મની ઇમોશનલ અને દમદાર સ્ટોરી લાઇનના કારણે દર્શકોના માનસપટલ પર ફિલ્મની ગહેરી અસર જોવા મળી છે અને સામાન્ય વ્યકતીઓથી માંડીને ફિલ્મ અભિનેતાઓ અને રાજનેતાઓ પણ આ ફિલ્મની ચર્ચા કરી રહ્યા છે. હવે બોલિવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે જાણીતા ફિલ્મ અભિનેતા આમિરખાન પણ "કાશ્મીર ફાઇલ્સ"ના વખાણ કરતા પોતાની જાતને રોકી શકયા ન હતા.
આમિરખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દરેક ભારતીયે ધ કશ્મીર ફાઇલ્સ જોવી જ જોઇએ. એક ઇવેન્ટમાં મીડિયા સાથે વાત કરતાં આમિરખાને કહ્યું હતું કે તે આ ફિલ્મ જરુર જોશે.તે ઇતિહાસનો એવો ભાગ છે જે દિલ દુખાવે છે. જે કાશ્મીરી પંડિતોની સાથે થયું છે, તે દુખની વાત છે અને એવી ફિલ્મ બની છે એ ટોપિક પર,તે ખરેખર દરેક ભારતીયે જોવી જોઇએ
Next Article