Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું અરિજીતસિંહનું અપમાન થયું? આખરે ભાઈજાનનો પારો કેમ ચડ્યો?

પોતાના સુંદર અવાજથી લોકોના દિલ જીતનાર અરિજીતસિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અત્યાર સુધીની પોતાની કારકિર્દીમાં અરિજિતસિંહે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે તેના ગીતો લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. કેટલાક ગીતો દ્વારા અરિજીત સિંહે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. જો કે, રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અરિજીતસિંહના કરિયર સાથે અનેક પ્રકારના વિવાદો પણ જોડાયેલા છે. અરિજિતસિંàª
શું અરિજીતસિંહનું અપમાન થયું  આખરે ભાઈજાનનો પારો કેમ ચડ્યો
પોતાના સુંદર અવાજથી લોકોના દિલ જીતનાર અરિજીતસિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અત્યાર સુધીની પોતાની કારકિર્દીમાં અરિજિતસિંહે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે તેના ગીતો લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. કેટલાક ગીતો દ્વારા અરિજીત સિંહે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. જો કે, રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અરિજીતસિંહના કરિયર સાથે અનેક પ્રકારના વિવાદો પણ જોડાયેલા છે. અરિજિતસિંહ-સલમાન ખાનની ફાઈટ તેમની સાથે જોડાયેલી ફેમસ સ્ટોરીઝમાં ઘણી હેડલાઈન્સ બનાવી ચૂકી છે. 
આ રીતે લડાઈ શરૂ થઈ
એક એવોર્ડ શો બાદ સલમાન ખાન અને અરિજીતસિંહ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગયું હતું. હકીકતમાં, એવું બન્યું કે વર્ષ 2014માં, એક એવોર્ડ શોમાં, અરિજિત સિંહને ફિલ્મ આશિકી 2 ના સુપર-ડુપર હિટ ગીત તુમ હી હો માટે સન્માનિત કરવામાં આવનાર હતો. આ એવોર્ડ શોને સલમાન ખાન અને રિતેશ દેશમુખે હોસ્ટ કર્યો હતો. જેમ જ અરિજીત સિંહ પોતાનો એવોર્ડ લેવા પહોંચે છે, સલમાન ખાને તેને કહ્યું કે તે તેના ગીત પર ઊંઘવા લાગ્યો છે. આ પછી અરિજીત સિંહ પણ તેની સાથે અસભ્ય વર્તન કરે છે. આ દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
 
અરિજિતે માફી માંગી હતી
આ ઘટના બાદ સલમાન ખાને તેની ફિલ્મ સુલતાનમાંથી અરિજીતસિંહનું ગીત હટાવી દીધું હતું. અરિજિતે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને સલમાન ખાનની માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો. અરિજીતસિંહે આ પોસ્ટમાં લખ્યું છે કે તેણે સલમાન ખાન સાથે વાત કરવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ કંઈ થયું નહીં. અરિજીત સિંહે આ માફીપત્રમાં એમ પણ લખ્યું છે કે તેણે એવોર્ડ શોમાં તેનું અપમાન કર્યું નથી. અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે કંઈ જ બરાબર નહોતું થયું અને આજે પણ બંને વચ્ચેનું અંતર અકબંધ છે.
 
આમિર ખાન પણ અરિજીત સિંહનો ઘણો મોટો ફેન 
જોકે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ અરિજીતસિંહનો ઘણો મોટો ફેન છે અને તે હંમેશા અરિજીતને સાંભળવા માટે ઉત્સુક રહે છે. આવો જાણીએ ગાયકના જન્મદિવસના દિવસે અરિજિતે થોડા જ સમયમાં પોતાની ગાયકી અને મદહોશ અવાજથી લોકોને પોતાના ચાહકો બનાવી લીધા છે. અરિજિતસિંહ પણ પોતાના સરળ સ્વભાવના કારણે લોકોનો ફેવરિટ છે. અરિજિત સિંહની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે અને જે હંમેશા અરિજિતને સાંભળવા આતુર રહે છે. બોલિવુડનો મિસ્ટર પફેક્ટનિસ્ટ આમિર ખાન ઘણી વખત અરિજીતના જાહેરમાં અરિજિતના વખાણ કરતો જોવા મળ્યો છે. 

આમિરે કહ્યું- 'આ નહીં ચાલે,
વાસ્તવમાં આ વાત ત્યારે સામે આવી જ્યારે આમિર અને અરિજિત વિશ્વનાથ આનંદ સાથે કોવિડ-19 ફંડ રેઈઝર માટે ચેસ રમી રહ્યો હતો. કોવિડ સેલિબ્રિટી એડિશનમાં, મેચ સમાપ્ત થયા પછી સાઇનઆઉટ થવાનું હતું, તે દરમિયાન દરેકને કંઈક કહેવું હતું. જ્યારે અરિજિતનો વારો આવ્યો ત્યારે તેણે આ રીતે બોલવાનું શરૂ કર્યું. આમિરે કહ્યું- 'આ નહીં ચાલે, આ રીતે નહીં ચાલે'. આના પર અરિજિત હસ્યો અને પૂછ્યું - તો પછી કેવી રીતે ચાલશે? તેના પર આમિરે કહ્યું- 'એક-બે લાઈન ગાઇને સંભળાવો'. પછી અરિજિત વિશે વાત કરતાં આમિરે કહ્યું- “તું અદ્ભુત છે. આ એક અદ્ભુત ગાયક છે. આ એક ખૂબ જ ખાસ ગાયક છે. મેં ઘણા સમયથી અરિજીતને ગાતા સાંભળ્યા છે. આજે લાઇવ સાંભળીને સારું લાગ્યું.  
Advertisement
Tags :
Advertisement

.