કોરોના સામે યુદ્ધ, 27મીએ દેશભરની હોસ્પિટલોમાં થશે ખાસ મોક ડ્રિલ
27 ડિસેમ્બરે સમગ્ર દેશમાં મોક ડ્રીલસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રિલઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર અને હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટચીન (China)માં વધતા કોરોના (Corona)ના ખતરાને જોતા કેન્દ્ર સરકારે ભારતમાં પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે દેશની તમામ હોસ્પિટલોની કટોકટીની તૈયારીનો સ્ટોક લેવા માટે 27 ડિસેમ્બરે એક મોક
03:08 AM Dec 24, 2022 IST
|
Vipul Pandya
- 27 ડિસેમ્બરે સમગ્ર દેશમાં મોક ડ્રીલ
- સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રિલ
- ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર અને હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટ
ચીન (China)માં વધતા કોરોના (Corona)ના ખતરાને જોતા કેન્દ્ર સરકારે ભારતમાં પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે દેશની તમામ હોસ્પિટલોની કટોકટીની તૈયારીનો સ્ટોક લેવા માટે 27 ડિસેમ્બરે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. મોક ડ્રિલ તમામ પ્રકારની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજ્યાના એક દિવસ બાદ મોકડ્રીલ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રએ રાજ્યોને ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર અને હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ તપાસવા અને ઓડિટ કરવાની સલાહ આપી છે.
મોક ડ્રિલમાં શું થશે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની બેઠક યોજી હતી અને તેમને કોવિડ-19 મેનેજમેન્ટ માટે સતર્ક અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સલાહ આપી હતી. બેઠકમાં મોકડ્રીલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં, પીપીઇ પહેરેલા ડોકટરો અને નર્સો શ્વાસના લક્ષણો ધરાવતા દર્દીઓની શારીરિક તપાસ કરશે. ઈમરજન્સી અને આઈસીયુ સુવિધાઓ પૂરી તાકાતથી કામ કરશે. PPE, ઓક્સિજન સપ્લાય, મોનિટર, ડિફિબ્રિલેટર અને વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "જો કોઈ ખામી હશે, તો તેને સુધારી લેવામાં આવશે જેથી અમે કટોકટીના કિસ્સામાં સાવચેત રહીએ."
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોવિડના કેસ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ માળખાની કાર્યકારી તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે કારણ કે ઘણા દેશો, ખાસ કરીને ચીન, COVID-19 કેસોમાં સતત વધારો જોઈ રહ્યા છે.
બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે
મામલાના જાણકાર અધિકારીઓએ કહ્યું કે ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક નથી પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સંતુષ્ટ થઈ જઈએ. અત્યારે દેશમાં માત્ર 27 ટકા પુખ્ત વયના લોકોએ જ કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો છે. લોકોને બૂસ્ટર ડોઝ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે આમ કરવાથી આપણું શરીર કોરોના સામે લડવામાં સક્ષમ બનશે. આ સાથે તમામ રાજ્યોને હોસ્પિટલોમાં દેખરેખ વધારવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article