બે તાકાત મળીને દુનિયાનું ભલું કરી શકે છે, ભારતનો રોલ ખુબ મહત્વનો, ઈયુ પ્રમુખે કર્યા વખાણ
ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર
લેયેને કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણી સમાનતાઓ છે. તેમણે કહ્યું કે
બંને દળો સાથે મળીને ઘણું કરી શકે છે. એકસાથે બંને આબોહવા અને પર્યાવરણમાં ફાળો આપી શકે છે. જણાવી દઈએ કે આ
પ્રવાસમાં ઉર્સુલાએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે.તેમણે કહ્યું કે ભારત અને ઈયુના લક્ષ્યો પણ એક જ છે. અમે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો 50% હિસ્સો ધરાવવાનું વચન આપ્યું છે. હું સંપૂર્ણ રીતે સંમત છું કે જો
આપણે યોગ્ય દિશામાં કામ કરીએ તો આપણે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ
છીએ. જણાવી દઈએ કે આ અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક વખત કહ્યું
હતું કે ભારતે પેરિસ ક્લાઈમેટ મીટ 2015ના સંકલ્પોને
ઘણી હદ સુધી પૂર્ણ કર્યા છે.
EU ચીફે કહ્યું, અમે સૌર ઉર્જા, બાયોમાસ, હાઇડ્રોપાવર અને જિયોથર્મલ એનર્જી વિશે
વાત કરીએ છીએ. આના દ્વારા લોકોને લાભ મળી શકે છે અને આબોહવાને સુરક્ષિત કરી શકાય
છે. ભારત પહોંચેલા EU ચીફે યુક્રેન સંકટ પર પણ વાત કરી હતી.
રશિયન હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે અશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવી
જરૂરી છે. તમને જણાવી દઈએ કે ભારતે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ
લાવવાની પણ હિમાયત કરી છે.