વિનોદે પત્નીને સરપ્રાઇઝ આપવા આંખે પાટા બાંધ્યા અને..
અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં વિરાટનગરમાંથી પરિવારના 4 સભ્યોની હત્યા કરનારા વિનોદ મરાઠીએ પત્નીના અનૈતિક સંબંધના કારણે હત્યાકાંડ સર્જ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે વિનોદે કબુલાતમાં જણાવ્યું હતું કે તેની પત્નીનો કોઇની સાથે પ્રેમ સબંધ હોવાથી તેણે અગાઉથી પ્લાન કરીને પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ પુત્ર અને પુત્રી જોઇ જતાં તેમને પણ પતાવી દીધàª
08:21 AM Mar 31, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં વિરાટનગરમાંથી પરિવારના 4 સભ્યોની હત્યા કરનારા વિનોદ મરાઠીએ પત્નીના અનૈતિક સંબંધના કારણે હત્યાકાંડ સર્જ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે વિનોદે કબુલાતમાં જણાવ્યું હતું કે તેની પત્નીનો કોઇની સાથે પ્રેમ સબંધ હોવાથી તેણે અગાઉથી પ્લાન કરીને પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ પુત્ર અને પુત્રી જોઇ જતાં તેમને પણ પતાવી દીધા હતા. વડ સાસુ સાથે અવાર નવાર ઝઘડા થતાં હોવાથી તેણે તેમને પણ મારી નાંખ્યા હતા.
પુત્રીને વિમલ અને પુત્રને શિખંડ લેવા મોકલ્યા
પોલીસ કબુલાતમાં આરોપી વિનોદ મરાઠીએ સીલસીલાબંધ હકિકતો વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્નીને પ્રેમ સંબંધ હોવાથી તેણે તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું . તેણે ઘેર આવ્યા બાદ રાત્રે 8 વાગે પુત્રીને વિમલ લેવા અને પુત્રને શીખંડ લેવા ઘરની બહાર મોકલ્યા હતા અને ત્યારબાદ તેણે પત્નીને મારી નાંખી હતી.
પત્નીને સરપ્રાઇઝ આપવાનુંકહી આંખે પાટા બાંધ્યા
પુત્ર અને પુત્રીને ઘરની બહાર મોકલ્યા બાદ તેણે પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહીને તેની આંખે પાટા બાંધ્યા હતા અને ત્યારબાદ તેણે છરા વડે પત્નીના પેટમાં ઘા મારી પત્નીની હત્યા કરી હતી.
પુત્ર અને પુત્રી આવી જતાં બંનેને પણ મારી નાંંખ્યા
તે જ વખતે તેની પુત્રી વિમલ લઇને ઘરમાં આવતાં તે કોઇને કહી દેશે તેમ માની વિનોદે પુત્રી પર પણ છરાના ઘા ઝીંકયા હતા ત્યારબાદ શીખંડ લેવા ગયેલો પુત્ર પણ ઘેર આવતાં તેને પણ મારી નાંખ્યો હતો.
વડસાસુ સાથેના ઝઘડાનો રોષ
તે સમયે તેની વડ સાસુ પણ ઘરમાં હતી. તેની સાથે વિનોદને અગાઉ પણ ઝઘડા થયા હોવાથી તેનો રોષ રાખીને વિનોદે વડ સાસુને પણ મારી નાંખી હતી. ત્યારબાદ તેણે ફોન કરીને પોતાની સાસુને બોલાવી હતી. ત્યાં સુધી મૃતદેહો અલગ અલગ જગ્યાએ મુકી દીધા હતા અને ઘર સાફ કરી દીધું હતું. તેની સાસુ આવ્યા બાદ તેણે તેમને સામાન્ય ઇજા પહોંચાડી હતી અને તેને દયા આવી જતાં આખી રાત સાસુને ઘરમાં બેસાડી રાખી હતી અને સવારે એક્ટીવા પર તે તેમને ઘેર મુકી આવ્યો હતો. સવારે તેણે સાસુને ઘેર મોકલી દીધીહતી અને તેને કોઇ પુછે તો સ્કૂટર પરથી પડી જતાં વાગી ગયું છે તેમ કહેવા જણાવ્યું હતું.
પત્નીના પ્રેમીને પણ મારી નાંખવાનો ઇરાદો હતો
હત્યા કર્યા બાદ છરો ફેંકી દઇ વિનોદ એકસપ્રેસ હાઇવે થઇને સુરત તરફ ભાગ્યો હતો. ત્યાં સુરત બસ સ્ટેન્ડ પાસેની હોટલ પર રોકાયા બાદ પત્નીનું મંગળસુત્ર વેચી હથિયાર ખરીદવા તથા પત્નીના પ્રેમીને પણ મારી નાખવાના ઇરાદે તે અમદાવાદ પરત ફર્યો હતો. જો કે પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળતાં તે ગીતા મંદિરથી જ ઇન્દોર તરફ ભાગ્યો હતો. ઇન્દોરથી તે એસ.ટી બસમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતાં પોલીસે દાહોદ બોર્ડર પર વોચ ગોઠવી તમામ વાહનો ચેક કર્યા હતા અને બસમાં બેઠેલા વિનોદને ઝડપી પાડયો હતો.
શા માટે વિનોદે ચાર લોકોની હત્યા કરી
પહેલી હત્યા અનૈતિક સબંધના કારણે પોતાની પત્નીની કરી હતી. ત્યારબાદ પોતાને જેલમાં જવું પડશે તેવું તેને લાગયું હતું અને પુત્રી માતાને લોહીલુહાણ હાલતમાં જોઇ જતાં વિનોદે પોતાની પુત્રીને પણ મારી નાખી હતી. ત્યારબાદ પુત્ર આવી જતાં તેણે માતા અને બહેનનો મૃતદેહ જોયો હતો જેથી હવે આનું પણ શું કામ છે તેમ કહી પુત્રને પણ છરીના ઘા મારી હત્યા કરી હતી. વડ સાસુને મારવા પાછળનું કારણ એ હતું કે વડ સાસુ તેની પત્નીને છેલ્લા કેટલાય સમયથી ચઢામણી કરતા હતા.
ચાર દિવસ સુધી સાસુએ પોલીસને કેમ જાણ ન કરી ?
સમગ્ર ઘટના ક્રમ જોતા એ સવાલ ઉઠે છે કે પોતાની પુત્રી સહિત ચાર લોકોની વિનોદે હત્યા કરી છે તેની જાણ સાસુને હોવા છતાં સાસુએ ચાર દિવસ સુધી પોલીસને કેમ જાણ કરી ન હતી. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ બાદ પોલીસને વિનોદના પડોશીઓએ દુર્ગંધ આવતી હોય એવી જાણ કરી એ પછી ઘરમાંથી ચાર વ્યક્તિના મૃતદેહો મળ્યા હતા.
આ ચકચારી હત્યાકાંડમાં હજુ નવા ખુલાસાઓ બહાર આવે તો નવાઈ નહીં રહે.
Next Article