Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન, પરિવાર સાથે કરી દાદાની પૂજા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બોટાદ જિલ્લાના સાળંગપુર પહોંચ્યા છે. આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના દર્શન કરવા માટે અમિત શાહ સહપરિવાર બોટાદ પહોંચ્યા છે. તેમણે સાળંગપુર પહોંચીને 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા હતા. સાથે જ સહ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન  પરિવાર સાથે કરી દાદાની પૂજા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બોટાદ જિલ્લાના સાળંગપુર પહોંચ્યા છે. આજે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાના દર્શન કરવા માટે અમિત શાહ સહપરિવાર બોટાદ પહોંચ્યા છે. તેમણે સાળંગપુર પહોંચીને 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા હતા. સાથે જ સહ પરિવાર દાદાની પૂજા પણ કરી હતી.

Advertisement

54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર દાદાની પ્રતિમાની કરી પૂજા
5 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહ પરિવાર હનુમાન જયંતી નિમિત્તે દાદાના દર્શને આવી પહોંચ્યા હતા.
સાળંગપુર મંદિરમાં પણ સહ પરિવાર કરી પૂજા
અમિત શાહે સાળંગપુર પહોંચી કિંગ ઓફ સાળંગપુર’-દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમાના દર્શન કર્યા હતા. જે પછી તેમણે સહ પરિવાર હનુમાનજીની પૂજા કરી હતી. હનુમાન દાદાની આરાધના કરી હતી. જે પછી સાળંગપુર મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા હતા અને મંદિરમાં પણ પૂજા કરી હતી.
શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાનદાદાની દિવ્ય પ્રતિમાનું સ્મરણ થઇ આવે. પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે.
હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ‘કિંગ ઓફ સાળંગપુર’નું થયુ અનાવરણ
હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવ્યું હતુ. રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થયું. જે પછી આજે હનુમાન જયંતીના દિવસે દાદાના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આ પાવન અવસરનો લહાવો લેવા માટે સાળંગપુરમાં મોટા પાયે શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો.
આ સાથે જ બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું અમિત શાહ આજે લોકાર્પણ કરવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે..આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકી છે અને 79 રૂમ પણ છે.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.