તુનિષા આપઘાત કેસ, કોર્ટે શીઝાનને 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
શીઝાનની ધરપકડ ટીવી સીરિયલ ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ઝારા અને ‘ઇન્ટરનેટવાલા લવ’માં આધ્યા શર્માનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ તુનિષા શર્માના આપઘાતના સમાચારથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ આરંભી છે. તપાસ દરમિયાન પોલીસના દાવા અનુસાર તેમને કોઇ સ્યૂસાઇડ નોટ મળી નથી. પરંતુ તુનિશાની માતાએ તેના કો-એક્ટર શીજાન પર તેની દીકરીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના આઘારà«
12:17 PM Dec 25, 2022 IST
|
Vipul Pandya
શીઝાનની ધરપકડ
ટીવી સીરિયલ ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ઝારા અને ‘ઇન્ટરનેટવાલા લવ’માં આધ્યા શર્માનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ તુનિષા શર્માના આપઘાતના સમાચારથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ આરંભી છે. તપાસ દરમિયાન પોલીસના દાવા અનુસાર તેમને કોઇ સ્યૂસાઇડ નોટ મળી નથી. પરંતુ તુનિશાની માતાએ તેના કો-એક્ટર શીજાન પર તેની દીકરીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના આઘારે પોલીસે શીઝાનની ધરપકડ કરી લીધી હતી.
28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી
શીઝાનને મુંબઇની વસઇ કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે શીઝાનને 28 ડિસેમ્બર પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે. એસીપી ચંદ્રાકાંત જાધવએ જણાવ્યું કે, તુનિષા શર્મા અને શીઝાન ખાન વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે 15 દિવસ પહેલા તેમનું બ્રેકઅપ થઇ ગયું હતુ. જે બાદ તુનિષાએ તેના શોના સેટ પર આપધાત કરી લીધો.
અલી બાબા દાસ્તાન-એ-કાબુલથી મળી પ્રસિદ્ધિ
નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવનારી તુનિષાને અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શહેજાદી મરિયમના રોલથી પોપ્યુલારિટી મળી હતી. 4 જાન્યુઆરી 2002ના રોજ ચંદીગઢમાં જન્મેલી તુનિષાને બાળપણથી જ એક્ટિંગનો બહુ શોખ હતો. પોતાના જન્મદિવસના થોડા દિવસ પહેલા જ આપઘાતનું પગલું ભરીને તેણે પોતાના પરિવાર અને ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article