Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાલ ઉઠીને તમે કહેશો કે અમારે જજની ચેમ્બરમાં જવું છે, કોર્ટનો સવાલ

તાજમહેલના 22 ઓરડા ખોલવાના મુદ્દે કરાયેલી અરજીની સુનાવણી કરતાં અલાહાબાદ હાઇકોર્ટે કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું કે કાલ ઉઠીને તમે કહેશો કે અમને જજની ચેમ્બરમાં જવું છે. ઉત્તર પ્રદેશના આગરા સ્થિત તાજમહેલના 22 ઓરડા ખોલવામાં આવે તેવી માગ પર અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મામલાની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. અરજીમાં અદાલત પાસે માગ કરાઇ છે કે વર્ષોથી બંધ પડેલા તાજà
07:48 AM May 12, 2022 IST | Vipul Pandya
તાજમહેલના 22 ઓરડા ખોલવાના મુદ્દે કરાયેલી અરજીની સુનાવણી કરતાં અલાહાબાદ હાઇકોર્ટે કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું કે કાલ ઉઠીને તમે કહેશો કે અમને જજની ચેમ્બરમાં જવું છે. 
ઉત્તર પ્રદેશના આગરા સ્થિત તાજમહેલના 22 ઓરડા ખોલવામાં આવે તેવી માગ પર અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મામલાની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. અરજીમાં અદાલત પાસે માગ કરાઇ છે કે વર્ષોથી બંધ પડેલા તાજમહેલના 22 ઓરડા ખોલવામાં આવે અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા દ્વારા તેની તપાસ કરવામાં આવે. 
સુનાવણી દરમિયાન અદાલતે અરજીકર્તાને કહ્યું કે તે પોતાની અરજી સુધી જ સિમીત રહે. આજે તમે તાજમહેલના ઓરડા જોવાની માગ કરી રહ્યા છો અને કાલે તમે કહેશો કે અમારે જજની ચેમ્બરમાં જવું છે. અદાલતે અરજીકર્તાને કહ્યું કે તેઓ એમએ, નેટ જેઆરએફ કરે અને ત્યારબાદ રિસર્ચમાં આવો વિષય શોધે. જો કોઇ સંસ્થા તેમને આ રિસર્ચ કરતા રોકે તો તે અમારી પાસે આવે. 
હાઇકોર્ટની લખનૌ બેંચમાં જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાય અને સુભાષ વિધ્યાર્થીની બેંચે મામલાની સુનાવણી કરી હતી. અદાલતમાં સુનાવણી સમયે અરજીકર્તા રજનીશ સિંહના વકીલે કહ્યું કે દેશના નાગરીકોને તાજમહેલ વિશે સાચુ જાણવાની જરુર છે. મે ઘણી આરટીઆઇ કરી છે અને મને જાણકારી મળી છે તે ઘણા ઓરડા બંધ છે અને પ્રશાસને જણાવ્યું તે સુરક્ષાના લીધે આવું કરાયું છે. 
અરજીકર્તાએ કહ્યું કે જો કોઇ ચીજ તાજમહેલમાં છુપાવાઇ છે તો તેની જાણકારી લોકોને હોવી જોઇએ. વકીલે કહ્યું કે મે ઔરંગઝેબની ચિઠ્ઠી જોઇ છે જે તેણે તેના પિતાને લખી હતી. અદાલતે કહ્યું કે અરજીકર્તા પોતાની અરજી સુધી જ સિમીત રહે. તમે દરવાજા ખોલવાનો આદેશ માગો છો. તમે એક ફેક્ટ ફાઇન્ડીગ કમિટીની માગ કરી રહ્યા છો. 
તેના જવાબમાં યુપી સરકારના વકીલે કહ્યું કે આ મુદ્દે પહેલાથી જ આગરામાં કેસ નોંધાયેલો છે અને અરજીકર્તાને તેમાં કોઇ અધિકાર નથી. અરજીકર્તાએ કહ્યું કે હું તે તથ્ય પર વાત નથી કરતો કે તે જમીન ભગવાન શિવથી જોડાયેલી છે કે અલ્લાહથી. મારો મુખ્ય મુદ્દો બંધ ઓરડાનો છે અને અમને જાણવું છે કે આખરે આ ઓરડામાં શું છે. 
ત્યારબાદ બે જજની બેન્ચે અરજીકર્તાને કહ્યું કે જાવ એમએ કરો અને ત્યારબાદ આવો વિષય પસંદ કરો. જો કોઇ સંસ્થા તમને રોકે તો અમારી પાસે આવો. અદાલતે પુછયું કે તમે કોની પાસેથી સૂચના માંગો છો તો અરજીકર્તાએ કહ્યું કે પ્રશાસન પાસેથી. તેના પર કોર્ટે કહ્યું કે તે કહી ચુકયા છે કે સુરક્ષા કારણોના લીધે ઓરડા બંધ છે તો તે જ સૂચના છે. અને જો તમે સંતુષ્ઠ નથી તો તેને પડકારો. 
અરજીકર્તાએ કહ્યું કે અમને તે ઓરડામાં જવાની મંજુરી મળે. તે મુદ્દે કોર્ટે કટાક્ષ કર્યો કે કાલે તમે કહેશો કે અમને માનનીય ન્યાયાધીશોની ચેમ્બરમાં જવું છે. કૃપયા પીઆઇએલ સિસ્ટમની મજાક ના કરો. અરજીકર્તાએ કહ્યું કે મને થોડો સમય અપાય તો હું  તેમાં કેટલા ચૂકાદા ટાંકવા માગું છું. ત્યારબાદ કોર્ટે 2 વાગ્યા સુધી સમય આપ્યો હતો. 
Tags :
alhabadhighcourtGujaratFirstTajmahel
Next Article