આજે છે વિશ્વ યોગ દિવસ, જાણો ક્યારે થઇ શરૂઆત અને શું છે મહત્વ
યોગ એ એક એવી પ્રાચીન વિદ્યા છે જે મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યોગ દિવસ નિમિત્તે અહીં સંદેશ આપવામાં આવે છે કે યોગથી સ્વસ્થ રહી શકાય છે અને આ જ સંદેશને બધે જ આપવાના પ્રયાસો કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 મંગળવાર, 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છà«
યોગ એ એક એવી પ્રાચીન વિદ્યા છે જે મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યોગ દિવસ નિમિત્તે અહીં સંદેશ આપવામાં આવે છે કે યોગથી સ્વસ્થ રહી શકાય છે અને આ જ સંદેશને બધે જ આપવાના પ્રયાસો કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 મંગળવાર, 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યોગ ભારતીય સંસ્કૃતિ અને જીવન મૂલ્યો સાથે સંકળાયેલું છે. લોકોને સ્વસ્થ અને ખુશ રાખવા માટે યોગને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. અત્યારે સમગ્ર વિશ્વ યોગની શક્તિમાં માને છે. ભારતમાં સદીઓ પહેલાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગનો અભ્યાસ કરવામાં આવે છે. વર્તમાન યુગમાં પણ વ્યક્તિ યોગાભ્યાસ દ્વારા જીવનશૈલીમાં સુધારો કરીને સ્વસ્થ રહી શકે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો સૌપ્રથમ પ્રસ્તાવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ 27 સપ્ટેમ્બર 2014ના રોજ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર વિચાર કર્યા પછી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014 ના રોજ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015 માં ઉજવવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 થીમ
આયુષ મંત્રાલયે 21 જૂન 2022 ના રોજ ભારતમાં યોજાનાર 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માટે "માનવતા માટે યોગ" થીમ પસંદ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની થીમ "માનવતા માટે યોગ" (Yoga for Humanity) છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 ની થીમ: કોવિડ-19 રોગચાળા દરમિયાન આયોજિત ગયા વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "સુખાકારી માટે યોગ" (Yoga for Wellness) હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્વ
આજના આધુનિક યુગમાં વ્યસ્તતા વચ્ચે પણ શરીરને સ્વસ્થ અને સારું રાખવામાં યોગ દરેકને મદદ કરે છે. તમામ શારીરિક અને માનસિક રોગોને શરીરથી દૂર રાખવાની સાથે સાથે યોગ દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર છોડે છે. દરરોજ યોગ કરવાથી શારીરિક અને માનસિક ઉર્જાનો વિકાસ થવાની સાથે તણાવ અને ડિપ્રેશનમાં પણ ઘટાડો થાય છે.
આ પણ વાંચો - પોતે તડકો સહન કરી છાયો આપે તે છે પિતા
Advertisement