Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલ માડી અંબે...આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ

આજે પોષી પુનમ, મા અંબાનો પ્રાગટ્ય દિવસયાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂરઅંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુંઆજે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજનઆજે પોષી પુનમ છે. આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે શાકંભરી પુનમપોષી પુનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખા
02:50 AM Jan 06, 2023 IST | Vipul Pandya
  • આજે પોષી પુનમ, મા અંબાનો પ્રાગટ્ય દિવસ
  • યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર
  • અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું
  • આજે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
આજે પોષી પુનમ છે. આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 
આજે શાકંભરી પુનમ
પોષી પુનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે. આ પૂનમ શાકંભરી નવરાત્રીમાં આવતી હોવાથી આ પુનમ શાકંભરી પુનમ તરીકે પણ ઓળખાય છે. આ મંદીર પર 358 સુવર્ણ કળશ લાગેલા છે.

અંબાજીમાં યોજાયા વિવિધ કાર્યક્રમો
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ વિવિધ કાર્યક્રમો અંબાજી ખાતે યોજાયા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પોષી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સવારે 6:00 વાગે મંગળા આરતી બાદ સવારે 8 વાગે મહાશક્તિ યજ્ઞ યોજાશે. સવારે 10 વાગે મહા આરતી શક્તિદ્વાર અને સવારે 10:30 વાગે શોભાયાત્રા યોજાશે. બપોરે 12:00 વાગે અંબાજી મંદિર શાકભાજી અન્નકૂટ અને સાંજે 5:00 વાગે અંબાજી મંદિર મહા શક્તિયજ્ઞ પૂર્ણાહુતી થશે.  રાત્રે 9:00 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ભવ્ય જ્યોત યાત્રાનું આયોજન 
મા અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો મા અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગબ્બર થી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જયોત યાત્રા નીકળશે. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં ૧,૬૦૦ કિલો બુંદી પ્રસાદ અને ૨,૧૦૦ કિલો સુખડી પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રામાં ૨૫ થી ૩૦ જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ જેટલા યજમાનો ભાગ લઈ ધન્યતા અનુભવશે.

માઇભક્તોમાં ઉત્સાહ
પોષી પૂનમ એ મા આંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.
આ પણ વાંચો-- પોષી પૂનમ,માં અંબાના પ્રાગટય દિવસની શક્તિપીઠ અંબાજી ખાતે ધામધૂમથી ઉજવણી કરાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiCelebrationGujaratFirstMaAmba
Next Article