Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આમ આદમી પાર્ટી રાતોરાત રાષ્ટ્રીય પાર્ટી ન બની શકે, 15થી 20 વર્ષ લાગશે

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આગાહી કરી છે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં 15 થી 20 વર્ષનો સમય લાગશે. તેમણે કહ્યું કે કોઈપણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે 20 કરોડ વોટ મેળવવાની જરૂર હોય છે. જ્યારે આમ આદમી પાર્ટીને 2019માં 27 લાખ વોટ મળ્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધી માત્ર કોંગ્રેસ અને ભાજપ જ રાષ્ટ્રીય પક્ષો તરીકે ઉભરી આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં
10:25 AM Mar 29, 2022 IST | Vipul Pandya

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આગાહી
કરી છે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં
15 થી 20 વર્ષનો સમય લાગશે. તેમણે કહ્યું કે કોઈપણ
પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે
20 કરોડ વોટ
મેળવવાની જરૂર હોય છે
. જ્યારે આમ
આદમી પાર્ટીને
2019માં 27 લાખ વોટ
મળ્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધી માત્ર કોંગ્રેસ અને ભાજપ જ
રાષ્ટ્રીય પક્ષો તરીકે ઉભરી આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં ઘણી પાર્ટીઓએ પ્રયાસ
કર્યો છે
. પરંતુ તેઓ
ઉભરી શક્યા નથી. આનો મતલબ એવો નથી કે અન્ય કોઈ પક્ષ રાષ્ટ્રીય પક્ષ ન બની શકે
, પરંતુ તે રાતોરાત ન બની શકે પરંતુ સમયની
જરૂર હોય છે. પ્રશાંત કિશોરે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું
હતું કે
, સૈદ્ધાંતિક રીતે કોઈપણ પક્ષ રાષ્ટ્રીય પક્ષ
બની શકે છે
, પરંતુ ઈતિહાસમાં નજર કરીએ તો ખબર પડે છે કે
સમગ્ર ભારતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ પહોંચી શક્યા છે. તેનો અર્થ એ નથી કે અન્ય
કોઈ પક્ષ તે કરી શકે નહીં. પરંતુ આ માટે
15 થી 20 વર્ષ સુધી સતત સંઘર્ષ કરવો પડે છે. આવો
બદલાવ રાતોરાત ન આવી શકે.


પ્રશાંત કિશોરે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPની ક્લીન સ્વીપ અંગે સવાલ પૂછવામાં આવતાં આ
વાત કહી હતી. પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે આજે
પણ તેમના સમર્થકો ઉભા છે.
આ સાથે પ્રશાંત કિશોરે કહ્યું કે લોકપ્રિય
હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ ચૂંટણી ન હારી શકે
, જેમ બંગાળમાં
થયું છે. આ પછી તેણે અખિલેશ યાદવનું આગલું ઉદાહરણ આપ્યું. કિશોરે કહ્યું કે અખિલેશ
યાદવની સભાઓમાં ભીડ જામી રહી હતી અને તેમને
30 ટકાથી વધુ
વોટ મળ્યા હતા
, તે પછી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો
હતો.


4 રાજ્યોમાં બીજેપીની જીત બાદ શું બેરોજગારી
અને મોંઘવારીનો કોઈ મુદ્દો નથી
? આ અંગે
પ્રશાંત કિશોરે કહ્યું કે એવું નથી. બીજેપીને
38 ટકા વોટ મળ્યા છે જ્યારે 62 ટકા લોકોએ
તેમની વિરુદ્ધ વોટ આપ્યા છે. મતલબ કે દેશના
100માંથી માત્ર 38 લોકો જ તેમની સાથે છે. પરંતુ વાત એ છે કે આ 62 લોકો વોટિંગ પેટર્નના સંદર્ભમાં એક નથી અને
તેનો ફાયદો એક પક્ષને મળે છે.

Tags :
AamAadmiPartyArvindKejriwalGujaratFirstNationalPartyPrashantKishor
Next Article