'Cancelled ચેક' આપતા ક્યારેય ન કરતા આ ભૂલ..
આપણે જ્યારે પણ નોકરીની શરૂઆત કરીએ અથવા તો કેટલાક આર્થિક અથવા બેંન્કિગ ટ્રાન્ઝેક્શન સમયે કોઈ અન્ય કંપની તેના ગ્રાહકો પાસેથી કેન્સલ ચેકની માગ કરવામાં આવે છે. જમાનો ભલે ડિજિટલનો હોય પરંતુ આ મેથર્ડ કાયમની છે. ત્યારે આવો જાણીએ કે આખરે આ કેન્સલ(Cancelled) ચેકની ડિમાન્ડ કરવામાં શા માટે આવે છે? સૌથી પહેલા જાણીએ આ કેન્સલ ચેક વિશે મહત્વની વાતો..કેન્સલ ચેક વિશે મહત્વની વાતો:કેન્સલ ચેક દ્વારા ટ્à
આપણે જ્યારે પણ નોકરીની શરૂઆત કરીએ અથવા તો કેટલાક આર્થિક અથવા બેંન્કિગ ટ્રાન્ઝેક્શન સમયે કોઈ અન્ય કંપની તેના ગ્રાહકો પાસેથી કેન્સલ ચેકની માગ કરવામાં આવે છે. જમાનો ભલે ડિજિટલનો હોય પરંતુ આ મેથર્ડ કાયમની છે. ત્યારે આવો જાણીએ કે આખરે આ કેન્સલ(Cancelled) ચેકની ડિમાન્ડ કરવામાં શા માટે આવે છે? સૌથી પહેલા જાણીએ આ કેન્સલ ચેક વિશે મહત્વની વાતો..Advertisement
Advertisement
કેન્સલ ચેક વિશે મહત્વની વાતો:
- કેન્સલ ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાતુ નથી.
- તેનો ઉપયોગ માત્ર તમારા એકાઉન્ટને ચકાસવા માટે કરી શકાય છે.
- જ્યારે કોઈને કેન્સલ ચેક આપવામાં આવે છે, ત્યારે બે સમાનાંતર લાઈનની વચ્ચે Cancelled લખી દેવામાં આવે છે. જેથી કોઈ ચેકનો દુરુપયોગ ન કરી શકે.
- જ્યારે તમે કેન્સલ ચેક આપો ત્યારે તેના પર સહીં કરવાની જરૂરૂ નથી હોતી.
- આ ઉપરાંત ચેક પર ક્રોસ માર્ક બનાવી શકાય છે. આ રીતે ચેક માત્ર તમારા બેંક એકાઉન્ટને વેરિફાઈ કરે છે.
- જો તમે કોઈ કંપનીને બેંકનો કેન્સલ ચેક આપ્યો છે, તો તેનો અર્થ એ થયો કે, તમારું એકાઉન્ટ તે બેંકમાં છે. ચેક પર તમારુ નામ હોઈ શકે અને ન પણ હોઈ શકે.
- ચેક પર તમારો એકાઉન્ટ નંબર લખેલો હોય છે. તેની સાથે જ જે શાખામાં એકાઉન્ટ છે. તેનો IFSC કોડ પણ લખેલો હોય છે. એવામાં ચેકની કંઈ જ જરૂર નથી તેમ વિચારીને કોઈ ને પણ ચેક આપવો જોઈએ નહિ.
- કેન્સલ ચેક માટે માત્ર બ્લેક અને બ્લૂ પેનનો જ ઉપયોગ કરશો.
- કોઈ અન્ય રંગની ઈન્કનો ઉપયોગ ન કરવાથી તે ચેકને અમાન્ય ગણાશે.