Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમોએ દર્શકોને કર્યા મંત્રમુગ્ધ

યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર રાજ્ય માંથી આવેલા જુદા જુદા કલા વૃંદોએ કળાના કામણ પાથરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા બે દિવસીય આ મહોત્સવનું આજે રાત્રે કાર્યક્રમ બાદ સમાપન થશે શામળાજી મહોત્સવનો આજે બીજો દિવસ રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે શનિવાર રાત થી બે દિવસીય શામળાજી મહોત્સવનુ
09:08 AM Feb 26, 2023 IST | Vipul Pandya
યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર રાજ્ય માંથી આવેલા જુદા જુદા કલા વૃંદોએ કળાના કામણ પાથરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા બે દિવસીય આ મહોત્સવનું આજે રાત્રે કાર્યક્રમ બાદ સમાપન થશે 
શામળાજી મહોત્સવનો આજે બીજો દિવસ 
રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા યાત્રાધામ શામળાજી ખાતે શનિવાર રાત થી બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં અવાયું છે ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે શામળાજી મંદિર પરિસર ખાતે અરાવલી અને સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ અને ભિલોડા એમએલએ પી સી બરંડાના હસ્તેદીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મુકાયો હતો આ પ્રસન્ગે શામળાજી મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી , જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના , જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ તેમજ ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયા હતા.
કૃષ્ણભક્તિ ઉપર કલા વૃંદોએ કલાના કામણ પથારી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા 
શામળાજી ખાતે યોજાયેલા આ મહોત્સવમાં સમગ્ર રાજ્ય માંથી જુદા જુદા કલા વૃંદો પોતાની કૃતિઓ રજુ કરવા માટે આવ્યા હતા જુદા જુદા કલા વૃંદો એ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર આધારિત પોતાની કૃતિઓ રજુ કરી હતી જે જોઈ શામળાજી ખાતે આવેલા ભક્તો સહીત જિલ્લાવાસીઓ કૃષ્ણમય બન્યા હતા.ઉલ્લેખનીય છે કે બે દિવસીય આ મહોત્સવનો આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે પણ રાત્રી સમયે પુનઃ કલા વૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે અને મોડી રાત્રે આ શામળાજી મહોત્સવ સંપન્ન થશે. 
આ પણ વાંચોઃ મોડાસાના ગ્રામ્ય પંથકમાં કેમ લોકોમાં ફેલાયો છે ફફડાટ ? કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગ્રામજનો ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
audienceculturalprogramsGujaratFirstmesmerizedShamlajiShamlajifestival
Next Article