Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીનમાં કોરોનાનો ભયાનક પ્રકોપ હજુ બાકી, 2023 સુધીમાં થઇ શકે છે 10 લાખો લોકોના મોત

આજે સમગ્ર દુુનિયામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમામ દેશ હવે ભવિષ્ય તરફ નજર કરતા ગત સમયમાં કોરોનાથી જોડાયેલી ખરાબ યાદોને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે અને નિયમિત કામો કરવા લાગ્યા છે. જોકે, આ બધાથી વિપરીત પરિસ્થિતિ હાલમાં ચીનની જોવા મળી રહી છે. જીહા, અહીં સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. એક અનુમાન અનુસાર, ચીનમાં કોરોના વાયરસને કારણે 2023 સુધીમાં 10 લાખ લોકોના મોત થઈ શકે છે.2023 સુà
04:08 AM Dec 18, 2022 IST | Vipul Pandya
આજે સમગ્ર દુુનિયામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમામ દેશ હવે ભવિષ્ય તરફ નજર કરતા ગત સમયમાં કોરોનાથી જોડાયેલી ખરાબ યાદોને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે અને નિયમિત કામો કરવા લાગ્યા છે. જોકે, આ બધાથી વિપરીત પરિસ્થિતિ હાલમાં ચીનની જોવા મળી રહી છે. જીહા, અહીં સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. એક અનુમાન અનુસાર, ચીનમાં કોરોના વાયરસને કારણે 2023 સુધીમાં 10 લાખ લોકોના મોત થઈ શકે છે.
2023 સુધીમાં 10 લાખ લોકોના થઇ શકે છે મોત
ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના આજે ચીન માટે જ એક મોટો ખતરો બની ગયો છે. કોરોના પર કાબુ મેળવવા માટે ઘણા કડક નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ તેની પણ હવે કોઇ અસર થતી દેખાઇ રહી નથી. ચીને હવે કોરોના વાયરસની રોકથામ માટે ઝીરો-કોવિડ પોલિસી હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું છે. જે બાદ કોરોના વાયરસના કેસમાં વધુ વધારો શરૂ થઇ ગયો છે. ચીન માટે હજુ વધુ મુશ્કેલ દિવસો આવવાના બાકી છે. યુએસ સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના નવા અનુમાન મુજબ, ચીનમાં વાયરસને કારણે 2023 સુધીમાં 10 લાખ લોકોના મોત થઈ શકે છે. IHME અનુમાન મુજબ, ચીનમાં કેસ 1 એપ્રિલની આસપાસ ટોચ પર આવશે, જ્યારે મૃત્યુ 3,22,000 સુધી પહોંચશે. IHME ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ કહ્યું કે ત્યાં સુધીમાં ચીનની લગભગ ત્રીજા ભાગની વસ્તી સંક્રમિત થઈ ગઈ હશે.
શી જિનપિંગે ઝીરો કોવિડ પોલિસી કરી હળવી
ચીનમાં શી જિનપિંગે આખરે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી દીધી છે. લોકોને હવે આ પગલાથી રાહત મળી શકે છે, પરંતુ આવનારા સમયમાં મૃત્યુઆંક વધી શકે છે. એક નિષ્ણાતે ચેતવણી આપી છે કે ચીનમાં પહેલાથી જ લોકોમાં અસંતોષ છે અને જો મૃત્યુઆંક આ રીતે વધશે તો મોટું તોફાન આવી શકે છે જે તેના શાસનનો અંત લાવી શકે છે. ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ COVID પ્રતિબંધો હટાવ્યા પછી કોઈ સત્તાવાર COVID મૃત્યુની જાણ કરી નથી. છેલ્લું સત્તાવાર મૃત્યુ 3 ડિસેમ્બરે નોંધાયું હતું. રોગચાળાથી કુલ મૃત્યુઆંક 5,235 છે. મોટા વિરોધને પગલે ચીને ડિસેમ્બરમાં વિશ્વના સૌથી કડક કોવિડ પ્રતિબંધોને હટાવ્યા હતા અને હવે વાયરસમાં વધારો જોવા મળી રહ્યો છે. એવી સંભાવના છે કે આવતા મહિને લૂનર નવા વર્ષની રજા દરમિયાન, ચેપની કુલ સંખ્યા 140 કરોડ સુધી પહોંચી શકે છે. 
ઓમિક્રોન વેરિઅન્ટે મુશ્કેલીમાં વધારો કર્યો
શુક્રવારે ઓનલાઈન જાહેર કરાયેલ IHME ની આગાહી દરમિયાન, મુરેએ કહ્યું કે કોઈએ વિચાર્યું ન હતું કે ચીન આટલા લાંબા સમય સુધી ઝીરો-COVID નીતિને વળગી રહેશે. તેમણે કહ્યું કે, ચીનની ઝીરો-કોવિડ નીતિ વાયરસના અગાઉના પ્રકારોને સમાવવામાં અસરકારક હોઈ શકે છે, પરંતુ તેણે ઓમિક્રોન વેરિઅન્ટના ઉચ્ચ ચેપ દરને સમાવવાનું અશક્ય બનાવ્યું છે. સિએટલમાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સ્વતંત્ર મોડલિંગ ગ્રુપ, જેના પર મહામારી દરમિયાન સરકારો અને કંપનીઓ દ્વારા ભરોસો કરવામાં આવ્યો છે, તેમણે હોંગકોંગમાં હાલમાં ઓમિક્રોનના પ્રકોપથી પ્રાંતીય ડેટા અને માહિતી મેળવી છે.
આ પણ વાંચો - વિશ્વ ભલે ભૂલ્યું કોરોના, આ દેશમાં આજે પણ છે તેની ભયાનક અસર, લાગુ કરવું પડ્યું છે લોકડાઉન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChinaCoronaVirusCovid19GujaratFirstlockdownPredicts10LakhDeathsZeroCovidPolicy
Next Article