Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેલૈયાઓ સાવધાન! આ વર્ષે કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકરના તાલે ઝૂમી શકશો ?

ગુજરાતમાં (Gujarat)નવરાત્રિમાં   (Navratri 2022) ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રી(Navratri) ના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર(Loud Speaker)  વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગેના બદલે 12 વાગે સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. આ અંગે ગૃહમંત્રીશ્રી  હર્ષ સંઘવી (Harsh Sanghavi) ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે જેમાં ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આà
ખેલૈયાઓ સાવધાન   આ વર્ષે કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકરના તાલે ઝૂમી શકશો
ગુજરાતમાં (Gujarat)નવરાત્રિમાં   (Navratri 2022) ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રી(Navratri) ના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર(Loud Speaker)  વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગેના બદલે 12 વાગે સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. આ અંગે ગૃહમંત્રીશ્રી  હર્ષ સંઘવી (Harsh Sanghavi) ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે જેમાં ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવામાં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રિના  12.00 વાગે સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
Advertisement

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી
આ દરમ્યાન નવરાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને અમરેલી આસપાસ છૂટોછવાયો વરસાદ રહેશે.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડશે.તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત છે.કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.
નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે..થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને લઇને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલી અને ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે..નોંધનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.તથા નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ, રાજયનાં 206 જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 85.32 ટકા પાણી ભરાયું છે. તો રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં 97.10 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાને રાખી NDRFની 8 ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. તો 7 ટીમોને સ્ટેન્ડ બાય રાખી રિઝર્વ રખાઈ છે.
Tags :
Advertisement

.