Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આસામમાં સ્થિતિ બેકાબૂ, પૂર અને ભૂસ્ખલનના કારણે 7 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 27 જિલ્લામાં ભારે વિનાશ થયો છે. આ આફતને કારણે લગભગ 7 લાખથી વધુ લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુરમાં પૂરમાં ત્રણ લોકો તણાઇ ગયા છે.આસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. ભીષણ પૂરમાં વધુ ચાર લોકોના મોત થયા છે. જ્યારે કછાર જિલ્લામાં બે લોકોના મોત થયા છે, લખીમપુર અનà
આસામમાં સ્થિતિ બેકાબૂ  પૂર અને ભૂસ્ખલનના કારણે 7 લાખથી વધુ લોકો પ્રભાવિત
આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 27 જિલ્લામાં ભારે વિનાશ થયો છે. આ આફતને કારણે લગભગ 7 લાખથી વધુ લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, નાગાંવ જિલ્લાના કામપુરમાં પૂરમાં ત્રણ લોકો તણાઇ ગયા છે.
આસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. ભીષણ પૂરમાં વધુ ચાર લોકોના મોત થયા છે. જ્યારે કછાર જિલ્લામાં બે લોકોના મોત થયા છે, લખીમપુર અને નાગાંવમાં એક-એક લોકોનું મોત થયું છે. આસામમાં ચાલી રહેલા ચોમાસા પહેલાના પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે, જેનાથી રાજ્યમાં 34 માંથી 29 જિલ્લાઓમાં લગભગ 7.12 લાખ લોકો પ્રભાવિત થયા છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે સેનાને પણ મદદ કરવામાં ઘણી તકલીફો થઇ રહી છે. 
વળી, 29 અસરગ્રસ્ત જિલ્લાઓના 2,251 ગામોમાં કુલ 80036.90 હેક્ટર પાક વિસ્તાર પ્રભાવિત થયો છે. 74,705 થી વધુ લોકોએ 234 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં બારપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કછાર, ચરાઈદેવ, દરાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દીમા હસાઓ, ગોલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, હોજઈ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, મોરીગાંવ, માજુલી, નગાંવ, નલબારી, સોનિતપુર, દક્ષિણ સાલમાર, તિનસુકિયા અને ઉદલગુરી છે.
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની હતી કારણ કે પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા હતા, કુલ 29 જિલ્લાઓને અસર થઈ હતી. પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 7,11,905 લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે એક બુલેટિનમાં આ માહિતી આપી છે. બુલેટિન મુજબ, પૂરને કારણે વધુ ચાર લોકોના મોત થયા છે જે પછી, મૃત્યુઆંક 14 પર પહોંચી ગયા છે. જેમાંથી પાંચ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, પૂરથી પ્રભાવિત વસ્તીની સંખ્યા 7,17,500 હતી અને કુલ 27 જિલ્લાઓ આના કારણે પ્રભાવિત થયા હતા. ASDMA અનુસાર, કુલ 86,772 લોકોએ 343 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 411 અન્ય રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે. ASDMAએ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને સ્વયંસેવકોની મદદથી કુલ 21,884 ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.