એમ.એસ.ધોની કેમ પહેરે છે 7 નંબરની જર્સી, માહીએ પહેલી વખત કર્યો ખુલાસો
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોનીએ ખુલાસો કર્યો છે કે તે 7
નંબરની જર્સી કેમ પહેરે છે ? ધોનીએ કહ્યું કે 'નંબર 7' તેના દિલીની ખુબ જ નજીક છે. કારણ કે તેનો જન્મ 7 જુલાઈએ થયો હતો અને તે તેની પ્રખ્યાત જર્સી પરનો નંબર છે. આ નંબર
કોઈ અંધશ્રદ્ધાને કારણે રાખવામાં આવ્યો નથી. ધોની તેના આંતરરાષ્ટ્રીય પદાર્પણથી જ
તેના શર્ટ નંબર તરીકે '7' નો ઉપયોગ કરી રહ્યો છે અને
વર્ષોથી આ નંબરની લોકપ્રિયતા વધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના
માલિકોના ગૃપ ઈન્ડિયા સિમેન્ટ્સ દ્વારા
આયોજિત એક વાર્તાલાપ દરમિયાન ચાહકો સાથે વાત કરતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને નંબર પસંદ કરવા વિશે ખુલાસો કર્યો. ધોનીએ
કહ્યું, શરૂઆતમાં ઘણા લોકો માનતા હતા
કે 7 નંબર મારા માટે લકી નંબર છે.
ધોનીએ કહ્યું કે મારો જન્મ
જુલાઈના સાતમા દિવસે થયો હતો. સાતમા મહિનાના સાતમા દિવસે થયો હતો. આ એક સારો નંબર છે. CSK છેલ્લા અઠવાડિયાથી IPL 2022 સુધી સુરતમાં પ્રશિક્ષણ કરી
રહ્યું છે અને સુકાની ધોની સ્થળ પર આપવામાં આવતી સુવિધાઓથી ખૂબ જ ખુશ છે. IPLની 15મી સીઝન 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ
રાઈડર્સ વચ્ચેની ટક્કર સાથે શરૂ થશે.
IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ
26 માર્ચ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
માર્ચ 31 વિ લખનૌ સુપર જાયન્ટ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ)
એપ્રિલ 3 વિ પંજાબ કિંગ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ)
9 એપ્રિલ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ (ડીવાય પાટિલ સ્ટેડિયમ, મુંબઈ)
12 એપ્રિલ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ડીવાય પાટીલ સ્ટેડિયમ, મુંબઈ)
17 એપ્રિલ વિ ગુજરાત ટાઇટન્સ (MCA સ્ટેડિયમ, પુણે)
21 એપ્રિલ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ બેંગ્લોર (ડીવાય પાટીલ સ્ટેડિયમ, મુંબઈ)
25 એપ્રિલ વિ પંજાબ કિંગ્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
1 મે વિ સનરાઇઝર્સ હૈદરાબાદ (MCA સ્ટેડિયમ, પુણે)
મે 4 વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MCA સ્ટેડિયમ, પુણે)
8 મે વિ દિલ્હી કેપિટલ્સ (ડીવાય પાટિલ સ્ટેડિયમ, મુંબઈ)
12 મે વિ મુંબઈ ઈન્ડિયન્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
15 મે વિ ગુજરાત ટાઇટન્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
20 મે વિ રાજસ્થાન રોયલ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ).