Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમીના શબને હોસ્પિટલ લઇ પહોંચી પરિણીત પ્રેમિકા, આઘાત સહન ન થતાં કર્યું કંઇક આવું..

સુરતમાં આજે બે પ્રેમી પંખીડાના આપધાતની ઘટના સામે આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં ગળેફાંસો એક યુવકે ખાઈને આપઘાત કર્યો હતો અને યુવકના મૃતદેહને લઇને તેની ગર્લફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. યુવકના મૃત્યુ બાદ ગર્લફ્રેન્ડે પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જો કે આપઘાત કરનાર યુવતી પરિણીત હોવાની વાત સામે આવી છે.સુરતના સલથાણ વિસ્તારમાં આવેલા ખોàª
પ્રેમીના શબને હોસ્પિટલ લઇ પહોંચી પરિણીત પ્રેમિકા  આઘાત સહન ન થતાં કર્યું કંઇક આવું
સુરતમાં આજે બે પ્રેમી પંખીડાના આપધાતની ઘટના સામે આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં ગળેફાંસો એક યુવકે ખાઈને આપઘાત કર્યો હતો અને યુવકના મૃતદેહને લઇને તેની ગર્લફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. યુવકના મૃત્યુ બાદ ગર્લફ્રેન્ડે પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જો કે આપઘાત કરનાર યુવતી પરિણીત હોવાની વાત સામે આવી છે.
સુરતના સલથાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં રહેતા રવિ સોલંકી નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારબાદ આ રવિ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એવી માહિતી મળી હતી કે, રવિનો મૃતદેહ તેની પરિણીત ગર્લફ્રેન્ડ પપ્પુબેન ગોહિલ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી અને ત્યારબાદ તેને પણ સિવિલ હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. 
આ ઘટનામાં પરિણીત પપ્પુબેને પાચમાં માળેથી પડતું મૂક્યું હોવાના કારણે ગંભીર ઇજાથી યુવતીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. તો બીજી તરફ 108ના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જ્યાં પપ્પુબેનને ફરજ પરના તબીબોએ  મૃત જાહેર કરી હતી. 
મહત્વની વાત છે કે રવીએ આપઘાત કર્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રેમી  રવીના આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ જે પરિણીતી યુવતી પપ્પુ બેન પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો તેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે  ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. એ પણ માહિતી સામે આવી છે કે, યુવક પણ પરણિત હતો અને યુવતી પણ પરિણીત હતી અને બંને પોત- પોતાના પતિ પત્નીથી અલગ રહેતા હતા. રવિ અને પપ્પુ બેન બંને ખોડીયાર નગરમાં જ રહેતા હતા.
Advertisement
Tags :
Advertisement

.