Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્લાસ્ટિક સર્જરીના કારણે આ કન્નડ અભિનેત્રીએ ગુમાવ્યો જીવ

કન્નડ અભિનેત્રી ચેતના રાજનું સોમવારે 21 વર્ષની નાની ઉંમરે અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફેટ ફ્રી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તેની હાલત બગડી હતી. કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું 21 વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે બેંગ્લોરમાં ફેશિયલ ફેટ ફ્રી સર્જરી કરાવી હતી. જે બાદ તેની તબિયત બગડી હતી. જો કે તેના પરિવારના સભ્યોને પણ આ વિશે જાણ કરી ન હતી. તે તેના મિàª
પ્લાસ્ટિક સર્જરીના કારણે આ કન્નડ અભિનેત્રીએ ગુમાવ્યો જીવ
કન્નડ અભિનેત્રી ચેતના રાજનું સોમવારે 21 વર્ષની નાની ઉંમરે અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફેટ ફ્રી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તેની હાલત બગડી હતી. કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું 21 વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે બેંગ્લોરમાં ફેશિયલ ફેટ ફ્રી સર્જરી કરાવી હતી. જે બાદ તેની તબિયત બગડી હતી. જો કે તેના પરિવારના સભ્યોને પણ આ વિશે જાણ કરી ન હતી. તે તેના મિત્રો સાથે ગયી હતી. ઘટનાની જાણ થતાં તેના માતા-પિતાએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ પણ નોંધાવી છે. તેને 16 મેના રોજ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 
કન્નડ અભિનેત્રી ચેતના રાજ મૃત્યુનું કારણ પ્લાસ્ટિક સર્જરી
કન્નડ અભિનેત્રી ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી પછીની મુશ્કેલીઓના કારણે નિધન થયું હતું. અહેવાલો અનુસાર, તે 16 મેના રોજ સવારે 'ફેટ ફ્રી' સર્જરી માટે હોસ્પિટલમાં ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સાંજે તેને થોડી સમસ્યા થઈ હતી. તેના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું. તબીબોએ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેને બચાવી શક્યા નહીં. ચેતનાના માતા-પિતાનું કહેવું છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે આવું બન્યું છે. તેમણે હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી છે.

તબિયત વધુ બગડતાં ડૉક્ટરો અન્ય હોસ્પિટલમાં લઈ ગયા 
ચેતના ગીતા અને ડોરેસાની જેવી સિરિયલોમાં જોવા મળી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, તે 16મીએ બેંગલુરુમાં શેટ્ટીના કોસ્મેટિક સેન્ટરમાં ફેટ ફ્રી સર્જરી માટે ગઈ હતી. એવું  જાણવા મળી રહ્યું છે કે સર્જરીમાં કંઈક ખોટું થયું અને ડૉક્ટરો તેમને સાંજે 5:30 વાગ્યે અન્ય હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડૉક્ટરોએ દર્દીની સારવાર કરવાનું કહ્યું કારણ કે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
તબીબોએ સી.પી.આર આપ્યું 
ડોક્ટરોએ ચેતનાને 45 મિનિટ માટે CPR આપ્યું. જોકે તેને ચેતનાને બચાવી શકાઈ નથી. ICU ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. સંદીપે પોલીસને જણાવ્યું કે ચેતનાને 6.45 વાગ્યે મૃત જાહેર કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ક્લિનિકના ડૉક્ટરોને પહેલાથી જ ખબર હતી કે તેનું મૃત્યુ થઈ ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.