ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ પહેલા રોહિત શર્માએ વિકેટકીપર અને યુવા ખેલાડી ઈશાન કિશનને લઈને સ્પષ્ટ કરી દીધું છે કે તે પહેલી મેચ નહીં રમે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનર તરીકે મેદાનમાં ઉતરશે. ઈશાને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી નંબર-3 પર રમવાનું નિશ્ચિત છે. વર્ષ 2022ની વાત કરીએ તો શ્રેયસ ઐય્યરે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.
છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી. તે 2023માં સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે, વનડે-માં તેનો રેકોર્ડ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐય્યરનું પ્રથમ વનડેમાં નંબર-4 પર રમવું નિશ્ચિત માનવામાં આવે છે. વન-ડે શ્રેણી માટે કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નંબર-5 પર ટીમમાં સ્થાન મેળવી શકે છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટી20 શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો. અક્ષર પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.