Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના પર કોહરામ, આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને યાત્રા મોકૂફ રાખવા આપી સલાહ તો કોંગ્રેસે વળતો ઘા કર્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઇ આરોગ્ય મંત્રીની સલાહવેક્સિન લગાવેલા લોકો જ યાત્રામાં જોડાય તેવી મનસુખ માંડવિયાની સલાહકોંગ્રેસના પવન ખેરાએ કહ્યું, તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છેરાજ્યમાં કોંગ્રેસ ગુજરાત જોડો યાત્રા કરશેચીન સહીત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાજનક રીતે કોરોના (Corona)ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાની સ્થિતીની સમિક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માàª
05:52 AM Dec 21, 2022 IST | Vipul Pandya
  • કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઇ આરોગ્ય મંત્રીની સલાહ
  • વેક્સિન લગાવેલા લોકો જ યાત્રામાં જોડાય તેવી મનસુખ માંડવિયાની સલાહ
  • કોંગ્રેસના પવન ખેરાએ કહ્યું, તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છે
  • રાજ્યમાં કોંગ્રેસ ગુજરાત જોડો યાત્રા કરશે
ચીન સહીત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાજનક રીતે કોરોના (Corona)ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાની સ્થિતીની સમિક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia)એ આજે હાઇલેવલ બેઠક બોલાવી છે. બીજી તરફ આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) અંગે કોંગ્રેસને સલાહ આપતાં કહ્યું કે વેક્સિન લગાવેલા લોકો જ આ યાત્રામાં જોડાય. આ અંગે કોંગ્રેસના પવન ખેરાએ પણ સામે વળતો જવાબ આપતાં કહ્યું કે તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છે. તેમણે કહ્યું કે સરકાર આખા દેશ માટે એડવાઇઝરી જાહેર કરે. અમને જ કેમ સલાહ અપાઇ તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો. બીજી તરફ એક તાજા સમાચાર મુજબ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 3 મહિના  સુધી હાથ સે હાથ જુડેના બેનર હેઠળ યાત્રા શરુ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. 
આરોગ્ય મંત્રીની કોંગ્રેસને સલાહ
વિશ્વમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને તેને જોતાં ભારતમાં પણ સરકાર એલર્ટ થઇ છે. કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. દરમિયાન આરોગ્ય મંત્રીએ હરિયાણામાં રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા વિશે કોંગ્રેસને સલાહ આપી છે. તેમણે કહ્યું કે વેક્સિન લગાવેલા લોકો જ યાત્રામાં જોડાય. ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા તથા યાત્રામાં માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. 
રાહુલ ગાંધીને લખ્યો પત્ર
મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે. પ્રવાસમાં જોડાતા પહેલા અને પછી મુસાફરોને અલગ રાખવા જોઈએ. માંડવિયાએ આગળ લખ્યું, જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી. તો જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશને કોરોના રોગચાળાથી બચાવવા માટે ભારત જોડો યાત્રા દેશના હિતમાં મોકૂફ રાખવા વિનંતી છે.

પવન ખેરાએ વળતો ઘા કર્યો 
આરોગ્ય મંત્રીની સલાહ પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું પણ નિવેદન આવ્યું છે. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં  તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે  સરકાર આખા દેશ માટે એડવાઇઝરી કરે અને  કોરોના પર નવા નિયમો જાહેર કરે. પવન ખેરાએ આરોગ્ય મંત્રીને સામે વળતો પ્રશ્ન કર્યો કે માત્ર અમને જ કેમ સલાહ આપવામાં આવી રહી છે. 

અધીર રંજન ચૌધરીએ પણ સવાલ કર્યો 
સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના આ પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ નિવેદનને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારત જોડો યાત્રાના ડરથી ભાજપ આ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાએ મોદી સરકારમાં ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ઘરે-ઘરે ગયા હતા અને તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. ?"

રાજસ્થાનના સાંસદોએ લખ્યો હતો પત્ર 
વાસ્તવમાં રાજસ્થાનના સાંસદ પીપી ચૌધરી, નિહાલ ચંદ, દેવજી પટેલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ભારત જોડો યાત્રાથી ફેલાતા કોરોના મહામારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોને કારણે રાજસ્થાનમાં કોરોના ફેલાવાનો ભય છે. મુસાફરીમાં ભાગ લેનારા મુસાફરોમાં પણ કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ પણ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં તેના પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.
ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા શરુ કરશે
બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસે ગુજરાત જોડો યાત્રા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા  'હાથ સે હાથ જુડે'ના બેનર હેઠળ યાત્રાનું આયોજન કરાયું છે અને રાજ્યમાં અંદાજિત 3 મહિના  કોંગ્રેસની યાત્રા યોજાશે.  15 જાન્યુઆરી બાદ કોંગ્રેસનું 'હાથ સે હાથ જુડે' અભિયાન શરુ થશે. તાલુકા પંચાયત બેઠકોથી વિધાનસભા બેઠકો સુધી યાત્રા યોજાશે.  આ યાત્રાના આયોજન માટે કોંગ્રેસ કાર્યાલયમાં  બેઠક પણ મળી રહી છે, જેમાં  કોંગ્રેસના પ્રમુખ, પ્રભારી સહિતના આગેવાનો હાજર રહેશે.  રાજ્યભરના આગેવાનો કોંગ્રેસની બેઠકમાં હાજર રહેશે. ભારત જોડો યાત્રાની જેમ ગુજરાત જોડો યાત્રા કરશે.
આ પણ વાંચો--બાંગ્લાદેશ સરહદની રક્ષા કરી રહી છે દિકરીઓ, ઈતિહાસમાં આ પહેલી ઘટના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharatJodoYatraCongressCoronaGujaratFirstMansukhMandviarahulgandhi
Next Article