Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપ સરકારના તાબડતોબ ફેંસલા, ભગવંત માન સરકારે યુવાનોને લઈને કર્યો મોટો નિર્ણય

શનિવારે પંજાબમાં ભગવંત માન સરકારની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં 25 હજાર ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં આ જગ્યાઓ ખાલી છે. કેબિનેટે ત્રણ મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લેવાનો નિર્ણય કર્યો છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પંજાબનું વાર્ષિક બજેટ જૂન મહિનામાં રજૂ કરવામાં
આપ સરકારના તાબડતોબ ફેંસલા 
ભગવંત માન સરકારે યુવાનોને લઈને કર્યો મોટો નિર્ણય

શનિવારે પંજાબમાં ભગવંત માન સરકારની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. આ
બેઠકમાં રાજ્યમાં
25 હજાર ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી
પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ બોર્ડ
, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં આ જગ્યાઓ ખાલી છે. કેબિનેટે ત્રણ મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.
એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પંજાબનું વાર્ષિક બજેટ જૂન મહિનામાં રજૂ
કરવામાં આવશે. આ સાથે કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે.

Advertisement

The Cabinet has passed the proposal of providing a total of 25,000 govt jobs, including 10,000 vacancies in the Punjab Police department & 15,000 vacancies in other govt departments: Punjab CM Bhagwant Mann, after his first cabinet meeting

(Source: CMO) pic.twitter.com/hJgn4TVppa

— ANI (@ANI) March 19, 2022

" title="" target="">javascript:nicTemp();

સીએમ ભગવંત માને કહ્યું કે 25 હજાર ખાલી
જગ્યાઓ પર નિમણૂક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી પંજાબ પોલીસમાં
10 હજાર જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યના અન્ય વિભાગોમાં 15 હજાર જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે સૂચના આપવામાં
આવી છે. આ ભરતી માટે ટૂંક સમયમાં જાહેરાતો બહાર પાડવામાં આવશે અને શક્ય તેટલી
વહેલી તકે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

Advertisement


જણાવી દઈએ કે પંજાબમાં હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ
આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે. પાર્ટીએ રાજ્યની
117 બેઠકોમાંથી 92 બેઠકો જીતીને અન્ય પક્ષોનો સફાયો
કર્યો. રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માને
16 માર્ચે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ શહીદ ભગત સિંહની પુણ્યતિથિએ 23 માર્ચે એક હેલ્પલાઇન શરૂ કરશે. જેના પર કોઈપણ વ્યક્તિ ભ્રષ્ટાચાર
સંબંધિત પોતાની ફરિયાદ તથ્યો સાથે કરી શકે છે. તે પોતે આ હેલ્પલાઈન પર નજર રાખશે.
આ મહત્વની જાહેરાત બાદ હવે તેમણે
25 હજાર ખાલી
જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.

Advertisement

Tags :
Advertisement

.