Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્ર સરકારે નેહરુ સંગ્રહાલયનું નામ બદલવાનો કર્યો નિર્ણય, આ નામ રાખવામાં આવ્યું

કેન્દ્ર સરકારે નેહરુ મ્યુઝીયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમા હેઠળ કેન્દ્ર સરકારે નેહરુ સંગ્રહાલયનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. મહત્વનું છે કે, અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉàª
09:32 AM Mar 29, 2022 IST | Vipul Pandya
કેન્દ્ર સરકારે નેહરુ મ્યુઝીયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમા હેઠળ કેન્દ્ર સરકારે નેહરુ સંગ્રહાલયનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. 
મહત્વનું છે કે, અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, કેન્દ્રની મોદી સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લઈ રહી છે. આ નિર્ણયો હેઠળ, ઐતિહાસિક ઇમારતોમાંથી સ્ટેશનો અને શહેરોના નામોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ જ કડીમાં હવે મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમમાં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સ્મૃતિ સાચવવામાં આવશે. આંબેડકર જયંતિના દિવસે આ ઉદ્ઘાટન PM મોદી પોતે કરશે. મહત્વનું છે કે, ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમાં ભલે ભાજપના એક જ વડાપ્રધાન હોય, પરંતુ દેશના દરેક વડાપ્રધાનનું યોગદાન મહત્વનું છે અને તેનું સન્માન કરવું જોઈએ. વડા પ્રધાને કહ્યું, "અમે ફક્ત એક છીએ, બાકીના તેમના છે... આપણે પક્ષની ભાવનાથી ઉપર ઉઠીને તમામ વડા પ્રધાનોનું સન્માન કરવું જોઈએ. તમારે બધાએ અહીં જવું જોઈએ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત બીજેપી સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (NMML) એ નવી દિલ્હીમાં સ્થિત એક સંગ્રહાલય અને પુસ્તકાલય છે. તેનું ધ્યેય ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને વળગવું અને તેનું પુનઃનિર્માણ કરવાનું છે. તે તીન મૂર્તિ ભવનના પ્રાંગણમાં આવેલું છે. જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી 1964માં તેની સ્થાપના કરવામાં આવી હતી. તે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
Tags :
BJPCentralGovernmentGujaratFirstNehruMuseumParliamentaryPartyPMModi
Next Article