3-4 મહિના સુતા રહે છે અને પછી ભાષણ આપવા અચાનક જાગી જાય છે રાજ ઠાકરે, શરદ પવારે કર્યો પલટવાર
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ઉદ્ધવ ઠાકરે અને શરદ
પવાર વચ્ચે મનદુઃખ હોવાના સમાચાર વહેતા થયા હતા. તો બીજી તરફ હવે રાજ ઠાકરે મેદાનમાં
આવ્યા છે. રાજ ઠાકરેએ શરદ પરવા પર જાતિની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તો શરદ
ઠાકરેએ પલટવાર કરતા રાજ ઠાકરેને લઈને નિવેદન આપ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર "જાતિની રાજનીતિ" કરવાના
રાજ ઠાકરેના આરોપને નકારી કાઢતા પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું કે MNS પ્રમુખ ક્યારેય કોઈ મુદ્દા પર એક જ અભિપ્રાય ધરાવતા નથી અને વર્ષોથી
તેઓ ત્રણથી ચાર મહિના સુધી 'હાઇબરનેશન'માં રહે છે જે તેમની 'વિશેષતા' છે.
શનિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતેની રેલીમાં રાજ ઠાકરેએ શરદ પવારની નિંદા કરી તેમના પર "સમય-સમય પર જાતિનું કાર્ડ રમવા અને સમાજને વિભાજીત
કરવાનો" આરોપ લગાવ્યો. પવારે કોલ્હાપુરમાં પત્રકારોને કહ્યું કે એનસીપીએ તમામ જાતિના લોકોને એક કર્યા છે. રાજ ઠાકરેએ ટિપ્પણી કરતા
પહેલા એનસીપીનો ઈતિહાસ વાંચવો જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાના ભાષણ અંગેના પ્રશ્નના જવાબમાં પવારે ટોણો માર્યો કે રાજ
ઠાકરે ત્રણથી ચાર મહિના સૂઈ જાય છે અને ભાષણ આપવા માટે અચાનક જાગી જાય છે. આ તેમની
વિશેષતા છે. મને ખબર નથી કે તે આટલા મહિનાઓ સુધી શું કરે છે.
પવારે કહ્યું કે MNS ચીફ ઘણી બધી વાતો કહે છે પરંતુ તેને
વળગી રહેતા નથા. તે એનસીપી અને જાતિના રાજકારણ વિશે વાત કરે છે. હકીકત એ છે કે છગન
ભુજબળ અને મધુકરરાવ પિચડ સહિત અન્ય નેતાઓએ ગૃહમાં NCPના નેતા તરીકે સેવા આપી છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ કઈ
જાતિમાંથી આવે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમના ભત્રીજા અને
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિધાનસભામાં 30 વર્ષ પૂર્ણ કર્યા પછી ગૃહના નેતા બન્યા. રાજ ઠાકરે દ્વારા ઉત્તર
પ્રદેશના વખાણ કરવા વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું, જેમ કે મેં અગાઉ પણ કહ્યું છે કે તેઓ કંઈપણ વિશે વાત કરી શકે છે. મને
ખબર નથી કે તેઓએ ઉત્તર પ્રદેશમાં શું જોયું. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં શું થયું ? ચૂંટણીના પરિણામો (યુપીમાં) જુદા જુદા કારણોસર અલગ હતા. પરંતુ
લખીમપુર ખેરીમાં ઉત્તર પ્રદેશની સરહદો પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા પરંતુ તેમના
પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ આવ્યું નથી, જો એમ હોય તો
હું કંઈ કહેવા માંગતો નથી.
એમ પૂછવામાં આવ્યું કે શું રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણીઓને
ધ્યાનમાં રાખીને તેમના પક્ષના સ્ટેન્ડને ભારતીય જનતા પાર્ટી સાથે અનુરૂપ હોવાનો
પ્રયાસ કરી રહ્યા છે ? ત્યારે પવારે છેલ્લી ચૂંટણીઓમાં MNSના નબળા પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.