રશિયન સૈન્ય કેમ્પ પર આતંકી હુમલો, 11ના મોત
રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું છે. દરમિયાન, શનિવારે રશિયન સૈન્ય કેમ્પ (Russian military camp) પર આતંકવાદી હુમલાના સમાચાર છે. આ હુમલામાં 11 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન નજીક લશ્કરી ફાયરિંગ રેન્જમાં બે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરો માર્યા ગયા. હુમ
03:08 AM Oct 16, 2022 IST
|
Vipul Pandya
રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું છે. દરમિયાન, શનિવારે રશિયન સૈન્ય કેમ્પ (Russian military camp) પર આતંકવાદી હુમલાના સમાચાર છે. આ હુમલામાં 11 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન નજીક લશ્કરી ફાયરિંગ રેન્જમાં બે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરો માર્યા ગયા.
હુમલાખોર પૂર્વ સોવિયત રાષ્ટ્રના હતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને હુમલાખોરો સ્વયંસેવક સૈનિકો હોવાનું માનવામાં આવે છે, જેઓ અજાણ્યા પૂર્વ સોવિયત રાષ્ટ્રના હતા. રશિયાએ હમલાખોરોની ઓળખ શરુ કરી છે અને જો તેઓ યુક્રેન સાથે સંબંધિત હશે તો તે યુક્રેન પર સખત કાર્યવાહી થઇ શકે.
રશિયાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી
યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ હવે વધુ જટિલ બની રહી છે. ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ રશિયા પણ આવા જ ગુસ્સામાં છે. રશિયાએ 11 જેટલા પરમાણુ બોમ્બર સ્થાપિત કર્યા છે. રશિયાએ તાજેતરના દિવસોમાં યુક્રેનના વિસ્તારો પર ઘણા હુમલાઓ શરૂ કર્યા છે. દરમિયાન, રશિયન સૈન્ય શિબિર પર હુમલાના એક દિવસ પહેલા, રશિયાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે તેમના દેશની સૈન્ય સાથે નાટો સૈનિકો વચ્ચેની અથડામણ વૈશ્વિક વિનાશમાં પરિણમશે.
રશિયા-નાટો સૈન્ય અથડામણ 'વૈશ્વિક આપત્તિ'માં પરિણમશેઃ પુતિન
રશિયાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે તેમના દેશની સેના સાથે નાટો સૈનિકોની અથડામણ વૈશ્વિક વિનાશ તરફ દોરી જશે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં, તેમણે કહ્યું કે રશિયન દળો સાથે સીધો સંપર્ક અથવા સૈનિકો સાથે સીધો નાટો મુકાબલો ખૂબ જ ખતરનાક ચાલ હશે. તેમણે કહ્યું કે વૈશ્વિક તબાહીનું કારણ બને તેવા પગલાં કોઈનું પણ ભલું નહીં કરે. પુતિને કહ્યું, હું આશા રાખું છું કે જે લોકો આવું કહે છે તેઓ એટલા સ્માર્ટ હશે કે તેઓ આવું પગલું ન ભરે. અગાઉ, રશિયન પ્રમુખે ગયા મહિને યુક્રેનના ચાર પ્રદેશો પર કબજો કર્યા પછી રશિયાના પ્રદેશની સુરક્ષા માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.
ક્રિમિયા બ્રિજ વિસ્ફોટ બાદથી રશિયા ગુસ્સે છે
સંરક્ષણ સૂત્રોનું માનવું છે કે પુતિન પશ્ચિમને મોટો સંદેશ આપવા માટે સરહદ પર બોમ્બમારો કરી શકે છે. કારણ કે ક્રિમીઆ બ્રિજના વિસ્ફોટ બાદ પુતિને ઘણી વખત ચેતવણી આપી છે કે તેઓ આ આતંકી કૃત્ય માટે કિવને જડબાતોડ જવાબ આપશે. ક્રિમીઆ બ્રિજ પર હુમલા બાદ રશિયાએ યુક્રેનના શહેરો પર 100થી વધુ મિસાઇલો છોડી છે.
રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી છે
રશિયન હુમલા વચ્ચે યુક્રેન નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનના નાટોમાં સામેલ થવા પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયન સુરક્ષા પરિષદના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે યુક્રેન જાણતું હતું કે જો તે નાટોમાં જોડાશે તો તે યુદ્ધને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવી દેશે. પુતિનના નજીકના કહેવાતા એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવે કહ્યું કે નાટોના સભ્યો પોતે આ પ્રકારનું પગલું ભરવાના પરિણામોને સમજે છે.
Next Article