Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંત્રી પદ લઇ લો, આ મંત્રીને પાર્ટીમાંથી હાંકી કાઢો, TMC મહાસચિવ કુણાલ ઘોષ - મંત્રી પાર્થ ચેટર્જી આમને સામને

પાર્થ ચેટરજીને લઈને ટીએમસીમાં ઊંડા મતભેદો દેખાઇ રહ્યાં છે. એક તરફ મમતા બેનર્જી દ્વારા પાર્થ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થ ચેટરજીને લઈને ટીએમસીમાં ઊંડા મતભેદો છે. જ્યારે મમતા બેનર્જી દ્વારા પાર્થ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે ટ
મંત્રી પદ લઇ લો  આ મંત્રીને પાર્ટીમાંથી હાંકી કાઢો  tmc મહાસચિવ કુણાલ ઘોષ   મંત્રી પાર્થ ચેટર્જી આમને સામને
પાર્થ ચેટરજીને લઈને ટીએમસીમાં ઊંડા મતભેદો દેખાઇ રહ્યાં છે. એક તરફ મમતા બેનર્જી દ્વારા પાર્થ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ કરી છે. 
પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થ ચેટરજીને લઈને ટીએમસીમાં ઊંડા મતભેદો છે. જ્યારે મમતા બેનર્જી દ્વારા પાર્થ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ કરી છે. કુણાલ ઘોષે કહ્યું, 'પાર્થ ચેટર્જીને તાત્કાલિક મંત્રી પદ અને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવી દેવા જોઈએ. તેમને હાંકી કાઢવા જોઈએ. જો મારું આ નિવેદન ખોટું છે તો પાર્ટીને મને તમામ પદો પરથી દૂર કરવાનો અધિકાર છે. 
આ પહેલા પણ તેમની ધરપકડ બાદ રવિવારે કૃણાલ ઘોષે કહ્યું હતું કે આ મામલાને કારણે પાર્ટીની છબી ખરાબ થશે. કુણાલ ઘોષે પણ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, 'કોણ નેતા અને કઈ સ્થિતિમાં છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કાયદાની નજરમાં ખોટો સાબિત થશે તો તેને પાર્ટી અને સરકાર બક્ષશે નહીં. આ ધરપકડે વિપક્ષને મુદ્દો આપ્યો છે. જો આ તપાસ લાંબો સમય ચાલશે તો આમ જ ચાલશે. અમે વહેલી તકે તપાસની માંગ કરીએ છીએ. પાર્થ ચેટરજીની ધરપકડ બાદથી TMC બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે. મમતા બેનર્જી કે અન્ય કોઈ નેતા દ્વારા પાર્થનો બચાવ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમને પાર્ટીના હોદ્દા કે મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. 

'કોર્ટ દોષિત ઠરશે તો પગલાં લેવાશે'
 જો કે બીજી તરફ મમતાએ પાર્થ ચેટર્જી કેસમાં કડક વલણ અપનાવ્યું છે.આ મુદ્દે  મમતા બેનર્જીએ ખુલાસો આપતા કહ્યું હતું કે 'કોર્ટ દોષિત ઠરશે તો પગલાં લેવાશે' તેમણે જાહેરમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે છે પરંતુ જો કોર્ટ કોઈને દોષિત ગણશે તો પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ મમતાએ ભાજપ પર પોતાના રાજકીય ફાયદા માટે ED અને CBIનો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો.
બંગાળ કેબિનેટની આજે મળનારી બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્થને લઈને ટીએમસીમાં મતભેદ છે. જણાવી દઈએ કે આજે બંગાળ કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે બેઠક દરમિયાન પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ બુધવારે પણ કહ્યું હતું કે હું કોઈ એજન્સીની વિરુદ્ધ નથી, પરંતુ તેનો ઉપયોગ કોઈ રાજકીય પક્ષને બદનામ કરવા માટે ન થવો જોઈએ. પાર્થ ચેટર્જીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે જે કામ કરે છે તે ભૂલ થઈ જાય છે. જો કોઈએ ભૂલ કરી હોય તો તેને સજા મળવી જોઈએ, પરંતુ કોઈની સામે મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.